Ganesh Chaturthi: આઈપીએસના અવતારમાં બાપ્પા! મુંબઈ પોલીસે કર્યું સ્વાગત

મુંબઈ પોલીસે બાપ્પાની ખાસ મૂર્તિના ફોટા સાથે લખ્યું, ભારતની પ્રિમીયર સુરક્ષા. IPS અવતારમાં અમારા નવા પ્રભારી ગણપતિ બાપ્પાનું સ્વાગત છે.

Ganesh Chaturthi: આઈપીએસના અવતારમાં બાપ્પા! મુંબઈ પોલીસે કર્યું સ્વાગત
IPS અધિકારીના અવતારમાં બાપ્પાની પ્રતિમા.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2021 | 11:07 PM

દેશભરમાં દરવર્ષે ગણેશ ચતુર્થીનો (Ganesh Chaturthi) તહેવાર ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ કોરોના વાઈરસ મહામારીને કારણે તહેવાર ગત વર્ષની જેમ સાદગી સાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે આઈપીએસ (IPS) અધિકારીના રૂપમાં  ગણપતિ બાપ્પાની અનોખી મૂર્તિ (Idol of Ganpati Bappa) જોવા મળી હતી. બાપ્પાના આ અવતારે ઓનલાઈન હજારો લોકોના દિલ જીતી લીધા છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ભગવાન ગણેશની મૂર્તિને ખાખી વર્દી, પગરખાં અને કેપ પહેરાવીને ફ્રન્ટ લાઈન વર્કર તરીકે સજ્જ કરવામાં આવી છે. વિલે પાર્લે પોલીસ સ્ટેશનના (Vile Parle police station) પોલીસ ઈન્સ્પેક્ટર રાજેન્દ્ર કાનેના ઘરે ગણપતિ બાપ્પાના આઈપીએસ (IPS) અવતારનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે (Mumbai Police) ખાખી વર્દીમાં બાપ્પાનો આ ફોટો ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો છે.

મુંબઈ પોલીસે કહ્યું- ભારતની પ્રીમીયર સુરક્ષા

મુંબઈ પોલીસે ફોટો સાથે લખ્યું, “ભારતની પ્રીમીયર સુરક્ષા. અમારા નવા પ્રભારી અધિકારી, ગણપતિ બાપ્પાનું આઈપીએસ (IPS) અવતારમાં સ્વાગત છે, જે હાલમાં પીઆઈ (PI) રાજેન્દ્ર કાને, વિલે પાર્લે પીએસના નિવાસસ્થાને તૈનાત છે.

ખાખી વર્દીમાં ગણપતિ બાપ્પાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને 79,000થી વધુ લાઈક્સ મળી છે. બાપ્પાને પોલીસ અધિકારી તરીકે જોઈને નેટિઝન્સ પણ આનંદિત થયા હતા. આ પોસ્ટ પર લોકો તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ગણેશ ઉત્સવના સાતમા દિવસે 15 હજારથી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું

ગણેશ ઉત્સવના સાતમા દિવસે દેવી ગૌરીની 213 મૂર્તિઓ સહિત ઓછામાં ઓછી 15,295 મૂર્તિઓ સમગ્ર મુંબઈમાં સમુદ્ર, ઝીલ અને તળાવોમાં વિસર્જિત કરવામાં આવી હતી. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે આ માહિતી આપવામાં આવી હતી. બીએમસીના (BMC) અધિકારીના જણાવ્યા અનુસાર ગુરુવારે ગણેશ ઉત્સવના સાતમા દિવસે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ ન હતી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં કોરોના મહામારીની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ દરમિયાન કડક નિયમો લાદવામાં આવ્યા છે. સાથે-સાથે કલમ 144 પણ આ ગણેશોત્સવ દરમિયાન મુંબઈમા લાગુ કરવામાં આવી છે. તેમજ વિસર્જનને લઈને પણ કડક નિયમો લાગુ કરાયા છે. આ ઉપરાંત, બીએમસીએ વિસર્જન માટે એક અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. જેને કારણે બીએમસીની ચારે કોર પ્રશંસા પણ થઈ રહી છે.

આ વખતે બીએમસી દ્વારા ટ્રકમાં કૃત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી લોકો પોતાની સોસાયટીમાં રહીને અને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરીને યોગ્ય રીતે વિસર્જન કરી શક્શે.

આ પણ વાંચો :  Maharashtra: માતા અને પુત્ર સંબંધીના ઘરેથી ગણપતિના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, રસ્તાના ખાડાઓએ લીધો જીવ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">