Mumbai Local Train: વેક્સિનેશન વિના મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી નહી, મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું

|

Dec 22, 2021 | 6:24 PM

પોતાનો અભિપ્રાય રાખતા રાજ્ય સરકારે મુંબઈ હાઈકોર્ટને (Bombay High Court) કહ્યું કે રસીકરણ વિના મુંબઈ લોકલમાં જવાની પરવાનગીને કારણે ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી વધશે.

Mumbai Local Train: વેક્સિનેશન વિના મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી નહી, મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને કહ્યું
mumbai local train (File Image)

Follow us on

જે લોકોએ એન્ટિ-કોરોનાવાયરસ રસીના બંને ડોઝ લીધા નથી, તેમની મુંબઈ લોકલ ટ્રેન (Mumbai Local Train) માં યાત્રા કરવાની આશાને ફરી એકવાર ધક્કો લાગ્યો છે. આજે (બુધવાર, 22 નવેમ્બર) રાજ્ય સરકારે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) સમક્ષ સ્પષ્ટપણે આ સંદર્ભમાં પોતાનો અભિપ્રાય રજૂ કર્યો. રાજ્ય સરકારના પ્રતિનિધિએ કોર્ટને જણાવ્યું કે રસીકરણ વિના મુંબઈ લોકલમાં જવાની પરવાનગીને કારણે ફરી એકવાર કોરોના સંક્રમણ ઝડપથી વધશે.

મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે, એન્ટી-કોરોના વાયરસ રસીના બંને ડોઝ લેવાનું પ્રમાણપત્ર બતાવવું જરૂરી છે. રાજ્ય સરકારની આ નીતિ સામે કોર્ટમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે રાજ્ય સરકારની આ કાર્યવાહી નાગરિકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ બંને અરજીઓ પર હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. રાજ્ય સરકાર અને રેલવે પ્રશાસને અરજી પર ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવા માટે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. આ પછી આજે સુનાવણીમાં રાજ્ય સરકારે પોતાનો અભિપ્રાય સ્પષ્ટ કર્યો. હવે કોર્ટે આગામી સુનાવણી 3 જાન્યુઆરી 2022 પર રાખી છે.

અરજીમાં રસીકરણની શરત મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન હોવાનું કહેવાયું હતું

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

અરજીમાં રાજ્ય સરકારની આ ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એન્ટિ-કોરોનાવાયરસ રસી લેવી એ વૈકલ્પિક છે, ફરજિયાત નથી. એટલે કે, રસી લેવી એ વ્યક્તિની ઇચ્છા પર નિર્ભર છે, તે લેવા માટે કોઈને દબાણ કરી શકાય નહીં. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકાર કહી રહી છે કે મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે રસીકરણની શરત જરૂરી છે. રાજ્ય સરકારનું આ કૃત્ય ગેરકાયદેસર અને બંધારણ વિરોધી છે. તે બંધારણની કલમ 19 (સમાનતાનો અધિકાર) અને કલમ 21 (જીવન જીવવાનો અધિકાર) ના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

આ દલીલ અરજદાર ફિરોઝ મીઠીબોરવાલા અને ‘અવેકન ઈન્ડિયા મૂવમેન્ટ’ના સભ્ય યોહાન તાંગરાએ તેમની અરજીમાં આપી હતી. મહારાષ્ટ્ર સરકારે આજે હાઈકોર્ટમાં આનો જવાબ આપ્યો છે. હવે આગામી સુનાવણી 3 જાન્યુઆરી, 2022ના રોજ થવાની છે.

આ પણ વાંચો :  Maharashtra Schools Update: મહારાષ્ટ્રમાં ફરી એકવાર શાળાઓ બંધ થઈ શકે છે, શિક્ષણ મંત્રીએ કહી આ વાત

Next Article