Mumbai Fire: મુંબઈના અંધેરી વેસ્ટમાં ફિલ્મના સેટ પર લાગી આગ, એકનું મોત

|

Jul 30, 2022 | 6:26 AM

Mumbai Fire : મુંબઈના અંધેરી વેસ્ટમાં સાંજે 4.30 વાગ્યાની આસપાસ ચિત્રકૂટ ગ્રાઉન્ડમાં આવેલ સેટમાં લાગેલી આગને 8 ફાયર બ્રિગેડની મદદથી 6 કલાક બાદ કાબુમાં લેવામાં આવી હતી.

Mumbai Fire: મુંબઈના અંધેરી વેસ્ટમાં ફિલ્મના સેટ પર લાગી આગ, એકનું મોત
Mumbai Fire

Follow us on

Mumbai Fire : મુંબઈના (Mumbai) અંધેરી વેસ્ટ વિસ્તારમાં એક ફિલ્મ સ્ટુડિયોના સેટ પર આગ લાગી હતી. માહિતી મળી રહી છે કે આ ફિલ્મ ‘લવ રંજન’નો સેટ હતો. માહિતી મળ્યા બાદ એક ડઝન ફાયર ટેન્ડર ત્યાંથી રવાના થયા હતા. આ એક ફિલ્મનો સેટ હતો, તે ખુલ્લા મેદાનમાં બાંધવામાં આવ્યું હતું. સ્ટુડિયો લાકડા, શેડ અને પ્લાસ્ટિકની મદદથી બનાવવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આ લેવલ-2ની આગ છે. સાંજે 4:28 કલાકે આગ લાગવાની જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં એક 33 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. જાણવા મળી રહ્યુ છે કે, આ રણબિર કપુર અને શ્રદ્ધા કપુરની ફિલ્મનો સેટ હતો.

અગાઉ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જાણ કરી હતી કે આગ એક દુકાનમાં લાગી હતી પરંતુ બાદમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ અંધેરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસેના ચિત્રકૂટ મેદાનમાં તૈયાર કરવામાં આવેલી ફિલ્મના સેટ પરથી લાગી હતી. ઉપયોગમાં લેવામાં આવી રહેલી મોટાભાગની ચીજવસ્તુઓ ઝડપથી આગ પકડી લેતી હતી. તરત જ આગ ફાટી નીકળી. અત્યાર સુધી કોઈને ઈજા થઈ હોવાના સમાચાર નથી. પરંતુ ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી ફેલાતા લોકોમાં ભય ફેલાયો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મના સેટ પર લાગી આગ

પીટીઆઈના સૂત્રો દ્વારા સ્પષ્ટ થાય છે કે આગ દુકાનમાં નહીં પરંતુ ફિલ્મના સેટ પર લાગી હતી. આ ફિલ્મમાં રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર કામ કરી રહ્યા છે. લવ રંજન આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. સેટ પર લાઇટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આગ લાગી હતી. આવતા સપ્તાહથી આ સેટ પર શૂટિંગ શરૂ થવાનું હતું. શૂટિંગ શરૂ ન હોવાને કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

નજીકમાં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મના બે સેટ પણ છે. પરંતુ આગ ત્યાં સુધી પહોંચી ન હતી. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. પરંતુ તાજેતરમાં તેનું શૂટિંગ પેરિસમાં થયું છે. સેટ પર કામ કરવા માટે ઘણા કારીગરો ત્યાં હાજર હતા. તેમાંથી કેટલાક આગમાં ફસાયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં કેટલા લોકો આગમાં ફસાયા છે, કેટલાને આગમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. આ માહિતી મળી શકી નથી.

 

Published On - 11:50 pm, Fri, 29 July 22

Next Article