હડતાલ પર ઉતરેલા MSRTC કર્મચારીઓ સામે તંત્રની લાલ આંખ, નવ હજારથી વધુ કર્મચારીઓને કર્યા સસપેન્ડ

|

Dec 05, 2021 | 1:39 PM

અનિલ પરબે જણાવ્યું હતું કે, કર્મચારીઓની હડતાળને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કાયદા હેઠળ પગલાં લેવા માટે ગંભીરતાથી વિચારી રહી છે.

હડતાલ પર ઉતરેલા MSRTC કર્મચારીઓ સામે તંત્રની લાલ આંખ, નવ હજારથી વધુ કર્મચારીઓને કર્યા સસપેન્ડ
File Photo

Follow us on

Maharashtra : મહારાષ્ટ્ર રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC) આ દિવસોમાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ક્રમાચારીઓ તેની પડતર માગણીને લઈને અચોક્કસ મુદ્ત સુધી હડતાળ (Employee Strike) પર છે. ત્યારે હાલ તંત્રએ કર્મચારીઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે હડતાળ પર ઉતરેલા વધુ 245 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આ કેસમાં 10 કર્મચારીઓને પણ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, કર્મચારીઓની હડતાળના કારણે લગભગ એક મહિનાથી MSRTCની બસ સેવા પ્રભાવિત થઈ છે. કર્મચારી સંગઠને માગણી કરી છે કે નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલી MSRTCને રાજ્ય સરકારમાં (Maharashtra Government) મર્જ કરવામાં આવે, આ માગને લઈને નિગમના કર્મચારીઓ 28 ઓક્ટોબરથી સતત હડતાળ પર છે.

અત્યાર સુધીમાં 9,625 કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

MSRTCના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, હડતાળમાં ભાગ લેનારા 9,625 કર્મચારીઓને અત્યાર સુધીમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોર્પોરેશનનો દાવો છે કે હાલમાં 67 ડેપોમાંથી બસો ચાલે છે અને શનિવારે કોર્પોરેશને 1,564 બસ સેવાનું સંચાલન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે, શુક્રવારે મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અનિલ પરબે (Anil Parab) કહ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમના કર્મચારીઓની હડતાળને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકાર મહારાષ્ટ્ર આવશ્યક સેવાઓ જાળવણી કાયદા હેઠળ પગલાં લેવા માટે ગંભીરતાથી વિચારી રહી છે.

સરકારે કર્મચારીઓને સારો પગાર વધારો આપ્યો

વધુમાં અનિલ પરબે જણાવ્યુ કે, ઘણા લોકો એવા છે કે જેઓ રાજ્યના પરિવહન કર્મચારીઓને કામ પર પાછા ફરતા અટકાવી રહ્યા છે. જ્યાં સુધી તેમની સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાળ સમાપ્ત થશે નહીં.

રાજ્ય સરકારની પ્રશંસા કરતાં, પરિવહન પ્રધાન અનિલ પરબે કહ્યું, મહારાષ્ટ્ર સરકારે MSRTCના કર્મચારીઓને ખૂબ જ સારો પગાર વધારો આપ્યો છે. જો કે, કેટલાક લોકો અફવા ફેલાવી રહ્યા છે કે પગાર વધારો છેતરપિંડી છે. અમે પગાર વધારા અંગેની સૂચના પણ બહાર પાડી છે.

 

આ પણ વાંચો : પરમબીર સિંહની વધી મુશ્કેલી ! મુંબઈના ભુતપૂર્વ પોલીસ કમિશનર સામે ચાર્જશીટ દાખલ, અનેક ખુલાસા થવાની શક્યતા

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિયન્ટની દસ્તકથી તંત્રની વધી ચિંતા, સંપર્કમાં આવેલા તમામ લોકોની કરવામાં આવી તપાસ

Next Article