AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mumbai News: મુંબઈમાં પિલર નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, રેલવેના 12 કોર સિગ્નલ કેબલ ડેમેજ થતા ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ

મુંબઈમાં પિલરના નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. જેના કારણે 30 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

Mumbai News: મુંબઈમાં પિલર નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના, રેલવેના 12 કોર સિગ્નલ કેબલ ડેમેજ થતા ઘણી ટ્રેનો પ્રભાવિત થઈ
Major accident during pillar construction in Mumbai
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:17 PM
Share

મુંબઈમાં MRVC પિલરના નિર્માણ દરમિયાન મોટી દુર્ઘટના ઘટી હતી. જેને લઈને રેલવેના 12 કોર સિગ્નલિંગ કેબલને મોટું નુકસાન થયું છે. વિરાર નોર્થ સાઈડની સિગ્નલ અને પોઈન્ટ સિસ્ટમ પણ કરવામાં આવી છે. સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. જેના કારણે 30 થી વધુ ટ્રેનો પ્રભાવિત થઈ હતી.

રેલવે સિગ્નલ ફેલ થતા ટ્રેનો પ્રભાવિત

જોકે, આ ઘટના બાદ એડીઆરએમ અને 3 સિનિયર સિગ્નલિંગ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ સિવાય રેલ્વેના 30 જેટલા કર્મચારીઓ પણ સ્થળ પર હાજર છે. મળતી માહિતી મુજબ, રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકમાં મુખ્ય લાઇન ચાલુ કરી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે પિલર કન્સ્ટ્રક્શનને કારણે આવું થયું છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં સિગ્નલ ફેલ થવાના હજારો મામલા સામે આવ્યા છે.

છેલ્લા એક વર્ષમાં 50 હજારથી વધુ વખત સિગ્નલ ફેલ !

થોડા મહિના પહેલા ઓડિશાના બાલાસોરમાં આ જ કારણસર એક મોટો ટ્રેન અકસ્માત થયો હતો. 180 થી વધુ લોકોના મોત થયા હતા. સેંકડો લોકો ઘાયલ થયા હતા. આંકડા મુજબ છેલ્લા એક વર્ષમાં 50 હજારથી વધુ વખત સિગ્નલ ફેલ થયા છે. વર્ષ 2022માં લગભગ દર મહિને સિગ્નલ ફેલ થવાની ઘટના બની હતી.

સિગ્નલિંગ કેબલને નુકસાન થતાં કલાકો સુધી મેઈન લાઈનની સેવા પ્રભાવિત થઈ હતી. રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક કલાકમાં મુખ્ય લાઇન ચાલુ કરી દેવામાં આવશે.

5 જૂને પણ ઓડિશામાં ટ્રેન પાટા પરથી ઉતરી

આ પહેલા 5 જૂને ઓડિશાના બારગઢમાં એક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. ઘટના અંગે, ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ જણાવ્યું હતું કે ઓડિશાના બારગઢ જિલ્લામાં મેંધાપલી નજીક ફેક્ટરી પરિસરની અંદર ખાનગી સિમેન્ટ ફેક્ટરી દ્વારા સંચાલિત માલસામાન ટ્રેનના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ સમગ્ર મામલામાં રેલવેની કોઈ ભૂમિકા ન હોવા છતાં તે કેવળ ખાનગી સિમેન્ટ કંપનીનું નેરોગેજ સાઈડિંગ હતું. અહીં કંપની દ્વારા રોલિંગ સ્ટોક, એન્જિન, વેગન, ટ્રેન ટ્રેક (નેરોગેજ) સહિત તમામ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જાળવણી કરવામાં આવે છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
g clip-path="url(#clip0_868_265)">