Maharashtra Winter Assembly Session: શિવસેનાના નેતાએ વિધાનસભામાં પીએમ મોદીની કરી મીમીક્રી, ભાજપ આક્રમક થયું તો માંગી માફી

|

Dec 22, 2021 | 11:00 PM

શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે મીમીક્રી કરતાં કહ્યું કે 2014માં દેશના પ્રધાનમાંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા કે, 'કાળું નાણું લાવવું કે ન લાવવું... લાવવું... લાવવું, તો ક્યાં રાખવું... આમ જ રાખવું...'

Maharashtra Winter Assembly Session: શિવસેનાના નેતાએ વિધાનસભામાં પીએમ મોદીની કરી મીમીક્રી, ભાજપ આક્રમક થયું તો માંગી માફી
Clash between Shiv Sena MLA Bhaskar Jadhav and Devendra Fadnavis in Maharashtra Assembly

Follow us on

મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રના (Maharashtra Winter Assembly Session) પહેલા જ દિવસે મહાવિકાસ અઘાડી સાથે જોડાયેલા નેતાઓ અને વિપક્ષ વચ્ચે ભારે ચર્ચા થઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામનો ઉલ્લેખ કરતા મંત્રી નીતિન રાઉતે (Nitin Raut) સવાલ કર્યો કે દરેકના ખાતામાં 15 લાખ ક્યારે આવશે? શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે (Bhaskar Jadhav)  તો પીએમ મોદીની મીમીક્રી કરી નાખી. જેના કારણે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) આક્રમક બની ગયા હતા અને માફીની માંગ પર અટકી ગયા હતા.

 

દેવેન્દ્ર ફડણવીસે ભાસ્કર જાધવને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. આ બધાની વચ્ચે એટલો બધો હંગામો થયો કે વિધાનસભાની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી. આ પછી ભાસ્કર જાધવે માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

PM નરેન્દ્ર મોદી પર શિવસેનાના ધારાસભ્યએ શું કહી દીધુ ?

વિધાનસભામાં એક મુદ્દા પર બોલતા મંત્રી નીતિન રાઉતે પીએમ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કર્યો. 2014ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના કાળા નાણાને બહાર લાવવા અને દરેકના ખાતામાં 15-15 લાખ રૂપિયા નાખવાના આશ્વાસનને યાદ કરતા તેમણે પૂછ્યું કે આ વચનો ક્યારે પૂરા થશે? આના પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે પીએમ મોદીએ ક્યારેય આવું આશ્વાસન આપ્યું ન હતું. ફડણવીસે કહ્યું કે જે મુદ્દા સાથે પીએમ મોદીનો કોઈ સંબંધ નથી તે મુદ્દો ઉઠાવવો યોગ્ય નથી અને તેઓ તેને સહન કરવાના નથી.

 

આ પછી શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવ ઉભા થયા. તેમણે મીમીક્રી કરતાં કહ્યું કે 2014માં દેશના પ્રધાનમાંત્રી બનતા પહેલા નરેન્દ્ર મોદી કહેતા હતા કે, ‘કાળું નાણું લાવવું કે ન લાવવું… લાવવું… લાવવું, તો ક્યાં રાખવું… આમ જ રાખવું…’ ભાસ્કર જાધવ દ્વારા પ્રધાનમંત્રીની આ પ્રકારના હાવ – ભાવની નકલ કરતા આ કહેવાથી દેવેન્દ્ર ફડણવીસ સહિતના ભાજપના નેતાઓ ઉશ્કેરાઈ ગયા અને ભાસ્કર જાધવને સસ્પેન્ડ કરવાની માંગ કરવા લાગ્યા.

 

 આ રીતે પીએમ મોદીની મિમિક્રી થવાથી દેવેન્દ્ર ફડણવીસ આક્રમક થયા

ભાસ્કર જાધવની પીએમ મોદીની મિમિક્રીથી આક્રમક થયેલા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ‘સભાગૃહમાં દેશના વડાપ્રધાનની મિમિક્રી સહન કરવામાં આવશે નહીં. શું વિધાનસભાની કાર્યવાહી આમ જ ચાલશે?  મિમિક્રી કરતી વખતે ભાસ્કર જાધવ જે કહી રહ્યા છે તે શોભનીય નથી. આ નહીં ચાલે. અમે તેમના નેતાઓની નકલ કરીએ તો ચાલશે? તેમણે માફી માંગવી પડશે, અધ્યક્ષ મહોદય’

 

શિવસેનાના ધારાસભ્ય ભાસ્કર જાધવે માંગી માફી

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ એટલા આક્રમક બની ગયા કે તેમણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરવાની માંગ કરી. આ પછી ભાસ્કર જાધવે ઉભા થઈને સમગ્ર મામલાને લઈને દિલગીરી વ્યક્ત કરી અને માફી માંગી. આમ મામલો થાળે પડ્યો હતો.

 

 

આ પણ વાંચો : New Year 2022: મુંબઈમાં ન્યુ યર પાર્ટીઓ પર BMC અને પોલીસની કડક નજર, નવા નિયમો થયા જાહેર

Next Article