Maharashtra : પરમબીર સિંહ ક્યાં છે ? રશિયા ભાગી જવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો આ જવાબ

પરમબીર સિંહ લાંબા સમયથી ફરાર છે. દરમિયાન, તેના રશિયા ભાગી જવાના અહેવાલો છે. આ અંગે મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે અમે પણ આવા સમાચાર સાંભળ્યા છે, પરંતુ તેઓ સરકારી અધિકારી છે, તેથી સરકારની મંજૂરી વગર વિદેશ જઈ શકતા નથી.

Maharashtra : પરમબીર સિંહ ક્યાં છે ? રશિયા ભાગી જવાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ આપ્યો આ જવાબ
પરમબીર સિંહ રશિયા ભાગી ગયા છે તેવી અટકળો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:27 PM

મહારાષ્ટ્રના (Maharashtra News) ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે (Dilip Walse Patil) શુક્રવારે કહ્યું કે આઈપીએસ અધિકારી પરમબીર સિંહ (Parambir Singh) ક્યાં છે. તેની શોધખોળ ચાલી રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય પણ તેમને શોધી રહ્યું છે. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે તે રશિયા (Russia)  ફરાર થઈ ગયા છે. પાટીલે કહ્યું કે અમે પણ આવા સમાચાર સાંભળ્યા છે, પરંતુ તેઓ સરકારી અધિકારી છે, તેથી સરકારની મંજૂરી વગર વિદેશ જઈ શકતા નથી.

દિલીપ વાલસે પાટીલે કહ્યું કે અમે પરમબીર સિંહ સામે લુકઆઉટ પરિપત્ર બહાર પાડ્યો હતો. જો તે દેશ છોડીને ચાલ્યા ગયા છે તો તે ઠીક નથી. આ દરમિયાન, ગુરુવારે સીબીઆઈએ રાજ્યના મુખ્ય સચિવ સીતારામ કુંટે અને ડીજીપી સંજય પાંડેને સમન્સ પાઠવ્યા છે. તમને જણાવી દઈએ કે સીબીઆઈ રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડ રૂપિયાની વસૂલાતના આરોપોની તપાસ કરી રહી છે.

ED મની લોન્ડરિંગના કેસમાં તપાસ કરી રહી છે

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

CBI ની સાથે ED પણ મની લોન્ડરિંગ કેસમાં તપાસ કરી રહ્યું છે. મુંબઈ અને થાણેના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ વિરુદ્ધ ખંડણીની ઓછામાં ઓછી ચાર એફઆઈઆર નોંધવામાં આવી છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે ગૃહ વિભાગે આ કેસોમાં દરેક આરોપી અધિકારીની ભૂમિકા અંગે વધુ વિગતો મેળવવા માટે ડીજીપીના પ્રસ્તાવને પરત કર્યો છે.

માર્ચમાં મુંબઈ પોલીસ કમિશ્નરના પદ પરથી બદલી કરવામાં આવી હતી

FIR માં પરમબીર સિંહ ઉપરાંત ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ અને આસિસ્ટન્ટ કમિશ્નર રેન્કના અધિકારીઓને આરોપી બનાવવામાં આવ્યા છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા પાસે વિસ્ફોટકોથી ભરેલી એસયુવીના સંબંધમાં એનઆઈએએ મુંબઈ પોલીસ અધિકારી સચિન વાજેની ધરપકડ કર્યા બાદ માર્ચ 2021 માં સિંહની મુંબઈ પોલીસ કમિશ્નર પદેથી બદલી કરવામાં આવી હતી.

હોટલ માલિકો પાસેથી લાંચ લેવાનો આરોપ

હોમગાર્ડ વિભાગમાં ટ્રાન્સફર થયા બાદ IPS અધિકારીએ તત્કાલીન રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પોલીસ અધિકારીઓને હોટલ અને બાર માલિકો પાસેથી લાંચ લેવાનું કહેવાનો આરોપ લગાવ્યો હતો. દેશમુખે આ આરોપને નકાર્યો હતો. પરંતુ દેશમુખે બાદમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું.

આ પણ વાંચો :  Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">