Maharashtra: કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈનું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર

|

May 17, 2022 | 9:53 AM

હુસૈન દલવાઈ1952માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, આ પછી તેઓ જીવનભર કોંગ્રેસ(Congress Party) સાથે જોડાયેલા રહ્યા. તેમને કાયદાનું ઘણું સારું જ્ઞાન હતું.

Maharashtra: કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈનું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર
Hussain Dalwai passed away

Follow us on

Maharashtra:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા, (Congress Leaer) કાયદા નિષ્ણાત, ગાંધીવાદી અને પૂર્વ મંત્રી હુસૈન દલવાઈનું(Hussain Dalwai) નિધન થયું છે. 99 વર્ષની વયે તેમણે તેમના મુંબઈના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે, તેઓ 16 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય હતા. વસંતદાદા પાટિલની કેબિનેટમાં તેઓ કાયદા પ્રધાન હતા. એડવોકેટ હુસૈન દલવાઈના પરિવારમાં પુત્ર દિલાવર, ફિરોઝ, મુશ્તાક અને બે પુત્રીઓ રેહાના અને શહનાઝ છે. હુસૈન દલવાઈનો જન્મ 17 ઓગસ્ટ 1922ના રોજ મહારાષ્ટ્રના ચિપલુણ તાલુકાના મિરોલી ગામમાં (Miroli Village) થયો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈ

એડવોકેટ હુસૈન દલવાઈએ બીએ, એલએલબીનું શિક્ષણ(Education)  મેળવ્યું હતું. ઉપરાંત 1940 થી 1946 સુધી તેમણે રાષ્ટ્રીય સેવા દળ સાથે કામ કર્યું. 1952માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. આ પછી તેઓ જીવનભર કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. તેમને કાયદાનું ઘણું સારું જ્ઞાન હતું. તેમણે કેટલાક દાયકાઓ સુધી બોમ્બે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પ્રેક્ટિસ કરી હતી.

હુસૈન દલવાઈ NCP પ્રમુખ શરદ પવારના નજીકના હતા

એડવોકેટ હુસૈન દલવાઈના સ્વર્ગસ્થ યશવંતરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ અને NCP ના વડા શરદ પવાર સાથે સારા સંબંધો હતા. તેમજ તેઓ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ

 હુસૈનને કેટલીક સામાજિક ચળવળો સાથે જોડાયેલા હતા

કાયદાનું શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. આ સાથે સામાજિક કાર્યોમાં હુસૈનને ખૂબ રસ હોવાને કારણે તેઓ કેટલીક સામાજિક ચળવળો સાથે જોડાયેલા હતા. આ રીતે તેમની રાજકીય કારકિર્દી(Political Career)  શરૂ થઈ. તે કાયદાનું ઘણુ જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભારતના બંધારણથી પણ ખૂબ જ વાકેફ હતા. તેઓ કોંગ્રેસના નેતા પણ છે. તમને જણાવવું રહ્યું કે,હુસૈનના પિતરાઈ ભાઈ રાજ્યસભાના સભ્ય છે.

એડવોકેટ હુસૈન દલવાઈને સામાજિક અને રાજકીય જીવનમાં ખૂબ જ ઉચ્ચ કદ અને ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ કોંકણ પ્રદેશની નવ કોંકણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. ભરત સેવક સોસાયટીના ડાયરેક્ટર હતા. તેઓ 1962 થી 78 સુધી વિધાનસભાના(Maharashtra Assembly)  સભ્ય હતા. તેઓ એપ્રિલ 1984માં રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.

Published On - 7:22 am, Tue, 17 May 22

Next Article