Maharashtra: કોંગ્રેસના વરિષ્ઠ નેતા, (Congress Leaer) કાયદા નિષ્ણાત, ગાંધીવાદી અને પૂર્વ મંત્રી હુસૈન દલવાઈનું(Hussain Dalwai) નિધન થયું છે. 99 વર્ષની વયે તેમણે તેમના મુંબઈના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે, તેઓ 16 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય હતા. વસંતદાદા પાટિલની કેબિનેટમાં તેઓ કાયદા પ્રધાન હતા. એડવોકેટ હુસૈન દલવાઈના પરિવારમાં પુત્ર દિલાવર, ફિરોઝ, મુશ્તાક અને બે પુત્રીઓ રેહાના અને શહનાઝ છે. હુસૈન દલવાઈનો જન્મ 17 ઓગસ્ટ 1922ના રોજ મહારાષ્ટ્રના ચિપલુણ તાલુકાના મિરોલી ગામમાં (Miroli Village) થયો હતો.
એડવોકેટ હુસૈન દલવાઈએ બીએ, એલએલબીનું શિક્ષણ(Education) મેળવ્યું હતું. ઉપરાંત 1940 થી 1946 સુધી તેમણે રાષ્ટ્રીય સેવા દળ સાથે કામ કર્યું. 1952માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. આ પછી તેઓ જીવનભર કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. તેમને કાયદાનું ઘણું સારું જ્ઞાન હતું. તેમણે કેટલાક દાયકાઓ સુધી બોમ્બે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પ્રેક્ટિસ કરી હતી.
એડવોકેટ હુસૈન દલવાઈના સ્વર્ગસ્થ યશવંતરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ અને NCP ના વડા શરદ પવાર સાથે સારા સંબંધો હતા. તેમજ તેઓ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.
કાયદાનું શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. આ સાથે સામાજિક કાર્યોમાં હુસૈનને ખૂબ રસ હોવાને કારણે તેઓ કેટલીક સામાજિક ચળવળો સાથે જોડાયેલા હતા. આ રીતે તેમની રાજકીય કારકિર્દી(Political Career) શરૂ થઈ. તે કાયદાનું ઘણુ જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભારતના બંધારણથી પણ ખૂબ જ વાકેફ હતા. તેઓ કોંગ્રેસના નેતા પણ છે. તમને જણાવવું રહ્યું કે,હુસૈનના પિતરાઈ ભાઈ રાજ્યસભાના સભ્ય છે.
એડવોકેટ હુસૈન દલવાઈને સામાજિક અને રાજકીય જીવનમાં ખૂબ જ ઉચ્ચ કદ અને ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ કોંકણ પ્રદેશની નવ કોંકણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. ભરત સેવક સોસાયટીના ડાયરેક્ટર હતા. તેઓ 1962 થી 78 સુધી વિધાનસભાના(Maharashtra Assembly) સભ્ય હતા. તેઓ એપ્રિલ 1984માં રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.
Published On - 7:22 am, Tue, 17 May 22