AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra Politics: ’22 ધારાસભ્યો અને 9 સાંસદો શિંદે જૂથ છોડી દેશે’, ઉદ્ધવ જૂથનો મોટો દાવો, કહ્યું- દરેક જણ ભાજપથી છે નારાજ

ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે સોમવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના 22 ધારાસભ્યો ભાજપથી નારાજ છે અને પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે.

Maharashtra Politics: '22 ધારાસભ્યો અને 9 સાંસદો શિંદે જૂથ છોડી દેશે', ઉદ્ધવ જૂથનો મોટો દાવો, કહ્યું- દરેક જણ ભાજપથી છે નારાજ
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 3:41 PM
Share

વર્ષ 2022 મહારાષ્ટ્રના રાજકારણ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું, શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ. એક શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે અને બીજી શિવસેના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે સોમવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના 22 ધારાસભ્યો ભાજપથી નારાજ છે અને પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે તેમણે દાવો કર્યો છે કે 9 સાંસદો પણ અમારા સંપર્કમાં છે. જેઓ અમારી પાસે પાછા આવવા તૈયાર છે.

તેમણે કહ્યું કે આ તમામ ધારાસભ્યો અને સાંસદો ત્યાં ખૂબ જ નારાજ છે કારણ કે ત્યાં તેમના કોઈ કામ નથી થઈ રહ્યા. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત સાંભળતા નથી. અગાઉ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરે પણ ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે બીજેપી શિંદે શિવસેના સાથે સારો વ્યવહાર નથી કરી રહી. શિંદે શિવસેનાના સાંસદો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યા છે. તેમની અવગણના કરવામાં આવી રહી છે.

શંભુરાજે દેસાઈ ગૂંગળામણ અનુભવી રહ્યા છે – વિનય રાઉત

સાંસદ વિનય રાઉતે કહ્યું કે, મંત્રી શંભુરાજે દેસાઈએ 15 દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું કે તે ત્યાં ગૂંગળામણ અનુભવી રહ્યો છે. બીજી તરફ દેસાઈએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેનું કહેવું છે કે તેણે આવું કોઈ કામ કર્યું નથી.

સાથે જ તેમણે કહ્યું કે વિનય રાઉતે પોતાના નિવેદન માટે માફી માંગવી જોઈએ. ચેતવણી આપતા દેસાઈએ રાઉતને બે દિવસની નોટિસ આપી છે. તેમણે કહ્યું કે જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">