MNS ચીફ રાજ ઠાકરેએ મોકૂફ રાખી અયોધ્યા યાત્રા, 5 જૂને હતો રામ લલ્લાના દર્શન કરવાનો કાર્યક્રમ

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (MNS chief Raj Thackeray) 5 જૂને અયોધ્યા યાત્રાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમણે આ પ્રવાસ મોકૂફ રાખ્યો છે. માહિતી અનુસાર, ઠાકરે 22 મેના રોજ પુણેની રેલીમાં આ વિશે વધુ માહિતી આપશે.

MNS ચીફ રાજ ઠાકરેએ મોકૂફ રાખી અયોધ્યા યાત્રા, 5 જૂને હતો રામ લલ્લાના દર્શન કરવાનો કાર્યક્રમ
MNS Chief Raj Thackeray (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 20, 2022 | 2:04 PM

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે(Raj Thackeray Ayodhya Visit) તેમની 5 જૂને નિર્ધારિત અયોધ્યા મુલાકાત મુલતવી રાખી છે. તેમનું કહેવું છે કે તેઓ 22 મેના રોજ પુણેમાં તેમની રેલીમાં (Pune Rally) આ અંગે વધુ માહિતી શેર કરશે. મનસે સૈનિકોએ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે જો તેઓ ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અને થોડા વર્ષો પહેલા તેમની સાથે કરવામાં આવેલા ખોટા વ્યવહાર માટે માફી નહીં માંગે તો તેમને અયોધ્યામાં ઉતરવા દેવામાં આવશે નહીં.

બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે જો રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી માંગવા નથી માંગતા તો તેમણે આ દેશના સંત સમાજની માફી માંગવી જોઈએ. જો તેમણે આમ કર્યું તો પણ ઉત્તર ભારતીય સમાજ તેને માફ કરી દેશે. હવે એવું માનવામાં આવે છે કે ભારે વિરોધને જોતા રાજ ઠાકરેએ અયોધ્યા પ્રવાસ મોકૂફ રાખ્યો છે.

સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે જો તેઓ આ મુદ્દાનો રાજકીય ઉકેલ ઈચ્છે છે તો અમારા ટોચના નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં ઉત્તર ભારતીયો સાથે આવું વર્તન નહીં કરે. આમ કરશો તો પણ ચાલશે. પણ તમારે માફી તો માંગવી પડશે. આ પછી બ્રિજ ભૂષણ શરણ સિંહની આ માંગને સમર્થન આપતું એક ભોજપુરી ગીત બહાર આવ્યું. આ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

ગીતના બોલ હિન્દીમાં છે, પરંતુ તેને ભોજપુરી ગીતની તર્જ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ ગીતોને મહેશ નિર્મોહીએ પોતાનો અવાજ આપ્યો છે. ગીતના બોલ યોગેશ દાસ શાસ્ત્રીના છે. સંગીત બબ્બન અને વિષ્ણુની જોડીએ આપ્યું છે. ગીતના શબ્દો આ પ્રમાણે છે- કદમ નહી રખને દેંગે યે નેતાજીને ઠાના હે, માફી માંગો રાજ ઠાકરે અગર અયોધ્યા આના હે.

પુણેની રેલીમાં ઠાકરે કરશે ખુલાસો ?

પુણેમાં યોજાનારી બેઠક એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી

રાજ ઠાકરેની સભા 21 મેના રોજ પુણેમાં થવાની હતી. પરંતુ હવે આ સભા 22 મેના રોજ યોજાવા જઈ રહી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. રાજ ઠાકરેએ 21મી મેના રોજ 22મી મેના રોજ સભા કરવાનું નક્કી કર્યું જેથી કરીને વરસાદને કારણે નાગરિકોને અગવડ ન પડે. આ સાથે રાજ ઠાકરેને પગમાં ઈજા થઈ છે અને તેમની સર્જરી થવાની શક્યતા છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">