MNS ચીફ રાજ ઠાકરેએ મોકૂફ રાખી અયોધ્યા યાત્રા, 5 જૂને હતો રામ લલ્લાના દર્શન કરવાનો કાર્યક્રમ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (MNS chief Raj Thackeray) 5 જૂને અયોધ્યા યાત્રાની જાહેરાત કરી હતી. પરંતુ હવે તેમણે આ પ્રવાસ મોકૂફ રાખ્યો છે. માહિતી અનુસાર, ઠાકરે 22 મેના રોજ પુણેની રેલીમાં આ વિશે વધુ માહિતી આપશે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ (Raj Thackeray Ayodhya Visit) તેમની 5 જૂને નિર્ધારિત અયોધ્યા મુલાકાત મુલતવી રાખી છે. તેમનું કહેવું છે કે તેઓ 22 મેના રોજ પુણેમાં તેમની રેલીમાં (Pune Rally) આ અંગે વધુ માહિતી શેર કરશે. મનસે સૈનિકોએ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી. બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે રાજ ઠાકરેને પડકાર ફેંક્યો હતો કે જો તેઓ ઉત્તર ભારતીયો પર થયેલા હુમલા અને થોડા વર્ષો પહેલા તેમની સાથે કરવામાં આવેલા ખોટા વ્યવહાર માટે માફી નહીં માંગે તો તેમને અયોધ્યામાં ઉતરવા દેવામાં આવશે નહીં.
#अयोध्या #Ayodhya pic.twitter.com/rFbkDT9Is1
— Raj Thackeray (@RajThackeray) May 20, 2022
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે જો રાજ ઠાકરે ઉત્તર ભારતીયોની માફી માંગવા નથી માંગતા તો તેમણે આ દેશના સંત સમાજની માફી માંગવી જોઈએ. જો તેમણે આમ કર્યું તો પણ ઉત્તર ભારતીય સમાજ તેને માફ કરી દેશે. હવે એવું માનવામાં આવે છે કે ભારે વિરોધને જોતા રાજ ઠાકરેએ અયોધ્યા પ્રવાસ મોકૂફ રાખ્યો છે.
સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે જો તેઓ આ મુદ્દાનો રાજકીય ઉકેલ ઈચ્છે છે તો અમારા ટોચના નેતૃત્વ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે તેઓ ભવિષ્યમાં ઉત્તર ભારતીયો સાથે આવું વર્તન નહીં કરે. આમ કરશો તો પણ ચાલશે. પણ તમારે માફી તો માંગવી પડશે. આ પછી બ્રિજ ભૂષણ શરણ સિંહની આ માંગને સમર્થન આપતું એક ભોજપુરી ગીત બહાર આવ્યું. આ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
ગીતના બોલ હિન્દીમાં છે, પરંતુ તેને ભોજપુરી ગીતની તર્જ પર રેકોર્ડ કરવામાં આવ્યું છે. આ ગીતોને મહેશ નિર્મોહીએ પોતાનો અવાજ આપ્યો છે. ગીતના બોલ યોગેશ દાસ શાસ્ત્રીના છે. સંગીત બબ્બન અને વિષ્ણુની જોડીએ આપ્યું છે. ગીતના શબ્દો આ પ્રમાણે છે- કદમ નહી રખને દેંગે યે નેતાજીને ઠાના હે, માફી માંગો રાજ ઠાકરે અગર અયોધ્યા આના હે.
પુણેની રેલીમાં ઠાકરે કરશે ખુલાસો ?
Maharashtra Navnirman Sena chief Raj Thackeray postpones his Ayodhya visit which was scheduled for June 5. He says he will share more details on this at his rally in Pune on 22nd May.
(file photo) pic.twitter.com/4M0xghS1T7
— ANI (@ANI) May 20, 2022
પુણેમાં યોજાનારી બેઠક એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી
રાજ ઠાકરેની સભા 21 મેના રોજ પુણેમાં થવાની હતી. પરંતુ હવે આ સભા 22 મેના રોજ યોજાવા જઈ રહી છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. રાજ ઠાકરેએ 21મી મેના રોજ 22મી મેના રોજ સભા કરવાનું નક્કી કર્યું જેથી કરીને વરસાદને કારણે નાગરિકોને અગવડ ન પડે. આ સાથે રાજ ઠાકરેને પગમાં ઈજા થઈ છે અને તેમની સર્જરી થવાની શક્યતા છે.