Maharashtra : લમ્પી વાયરસનો કહેર યથાવત, મહારાષ્ટ્ર સરકાર કરશે ટાસ્ક ફોર્સ અને વોર રૂમની રચના
આ રોગનો ફેલાવો વધુ ન વધે, તેથી જ હાલમાં અમે આંતર-રાજ્ય અને આંતર-જિલ્લા પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જો પશુનું માંસ વેચવું હોય તો તે પ્રાણીનું મેડિકલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે,
કોરોનાની (Corona ) જેમ પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસના (Virus ) જોખમને ધ્યાનમાં રાખીને હવે મહારાષ્ટ્ર સરકારે ટાસ્ક ફોર્સ (Task Force ) અને વોર રૂમ બનાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે મુંબઈમાં આવી માહિતી આપી હતી. આ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ સેક્રેટરી રેન્કના અધિકારી કરશે, જેને વોર રૂમ રિપોર્ટ કરશે. આ 24 કલાક વોર રૂમ ખેડૂતોની મદદ માટે તૈયાર રહેશે.
જો ખેડૂતોને લમ્પી વાઈરસ અંગે કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો તેઓ આ વોર રૂમ દ્વારા મેળવી શકશે. ટાસ્ક ફોર્સ લમ્પી વાયરસના દૈનિક ડેટા પર નજર રાખશે. રસીકરણ કેટલું થાય છે, રસીની ક્યાં જરૂર છે? વોર રૂમ દ્વારા આની દેખરેખ રાખવામાં આવશે. મહારાષ્ટ્રના 21 જિલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસ ફેલાયો છે, જેના કારણે અત્યાર સુધીમાં 43 જાનવરોના મોત થયા છે.
મહારાષ્ટ્રમાં પ્રાણીઓના મૃત્યુની સંખ્યા ઓછી છે
કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું કે મહારાષ્ટ્રમાં પ્રાણીઓના મૃત્યુની સંખ્યા અન્ય રાજ્યોની સરખામણીએ ઘણી ઓછી છે, કારણ કે તેના પ્રસારથી અમે રસીનો કાર્યક્રમ હાથ ધર્યો છે. રાજસ્થાનમાં લગભગ 50 હજાર પશુઓના મોત થયા છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં પાંચ લાખ પશુઓની રસી ઉપલબ્ધ છે. આ પ્રાણીઓના દૂધને લઈને લોકોમાં ભય અને મૂંઝવણ છે, પરંતુ હું કહેવા માંગુ છું કે જો કોઈ આ પ્રાણીનું દૂધ પીશે તો તેને કોઈ અડચણ નથી.
કેબિનેટ મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલે કહ્યું કે હું લોકોને વધુ એક વાત કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં ક્યાંય દૂધની અછત નથી. દૂધ ઉત્પાદનમાં પણ કોઈ ઘટાડો થયો નથી. જે લોકો જાણીજોઈને લમ્પીના નામે દૂધની અછત સર્જી રહ્યા છે તેમના પર સરકાર ચાંપતી નજર રાખી રહી છે. આવા લોકો સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ
આ રોગનો ફેલાવો વધુ ન વધે, તેથી જ હાલમાં અમે આંતર-રાજ્ય અને આંતર-જિલ્લા પ્રાણીઓની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જો પશુનું માંસ વેચવું હોય તો તે પ્રાણીનું મેડિકલ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, જેથી તે પ્રાણીનું માંસ ખાધા પછી લોકો બીમાર ન પડે. મહારાષ્ટ્રના જલગાંવમાં અત્યાર સુધીમાં 17 અને અહેમદનગરમાં 14 પ્રાણીઓના મોત થયા છે.