AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભત્રીજાએ કાકાને હરાવ્યા, ઉદ્ધવ શિંદેથી પણ પાછળ….ભાજપ નંબર વન

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે સાબિત કરી દીધું છે કે પાયાના સ્તરે તેની પકડ મજબૂત બની છે. ગ્રામ પંચાયતના પરિણામો એ પણ દર્શાવે છે કે કાકા શરદ પવારથી અલગ થવાનો રાજકીય લાભ અજિત પવારને મળ્યો છે. બીજી તરફ શિવસેના સાથે છેડો ફાડનાર મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે આ ચૂંટણી પરિણામ બૂસ્ટર ડોઝથી ઓછું નથી.

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભત્રીજાએ કાકાને હરાવ્યા, ઉદ્ધવ શિંદેથી પણ પાછળ....ભાજપ નંબર વન
Maharashtra Election
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2023 | 11:39 PM
Share

મહારાષ્ટ્રમાં રવિવારે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેની મતગણતરી આજે એટલે કે 6 નવેમ્બરે ચાલી રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં ભાજપ 600થી વધુ બેઠકો જીતીને પ્રથમ સ્થાને છે, જ્યારે શિવસેનાના શિંદે જૂથ અને NCP અજિત પવાર જૂથે પણ લગભગ 1000 બેઠકો કબજે કરી છે. જે બેઠકો પર હજુ મતગણતરી ચાલી રહી છે તેના પર ભાજપ અને તેના સાથી પક્ષો પણ આગળ ચાલી રહ્યા છે.

જો ગ્રામ પંચાયત ચૂંટણીમાં પવાર જૂથની વાત કરીએ તો અજિત પવાર જૂથનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. કાકા-ભત્રીજાના અલગ પડ્યા પછી ચૂંટણીમાં બંને વચ્ચે આ પહેલી હરીફાઈ હતી. શિવસેનાના બે જૂથોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથે ઉદ્ધવ ઠાકરે જૂથની તુલનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને તેમને સીધી હરીફાઈમાં હરાવીને ઘણી બેઠકો જીતી છે. તો કોંગ્રેસ પાર્ટીને તેના ગઢમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ભત્રીજાએ કાકાને હરાવ્યા

કોલ્હાપુર અને નાસિક જિલ્લામાં પણ અજિત પવાર જૂથનું પ્રદર્શન મજબૂત રહ્યું છે. નાસિકમાં કુલ 48 ગ્રામ પંચાયતો છે. તેમાંથી અજિત પવાર જૂથે 9 બેઠકો જીતી છે, જ્યારે શરદ પવાર જૂથે 4 બેઠકો જીતી છે. તો કોલ્હાપુરમાં અજીત જૂથે સૌથી વધુ 14 ગ્રામ પંચાયતો જીતી છે, જ્યારે શરદ પવાર જૂથનું ખાતું પણ ખોલ્યું નથી. પુણે જિલ્લામાં અજિત પવાર જૂથનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પુણેની કુલ 231 ગ્રામ પંચાયતોમાંથી અજીત જૂથે 109 ગ્રામ પંચાયતો જીતી છે જ્યારે શરદ પવાર જૂથને 27 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે.

શિંદે જૂથે ઘણા જિલ્લાઓમાં ઉદ્ધવ જૂથને હરાવ્યું

શિવસેના જૂથની કામગીરી પર એક નજર કરીએ તો છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી કુલ 16 ગ્રામ પંચાયતો આવેલી છે. આ 16 બેઠકોમાંથી ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ માત્ર 1 પર જીત મેળવી છે, જ્યારે શિંદે જૂથની શિવસેનાએ 3 બેઠકો પર જીત મેળવી છે. નાસિકમાં પણ શિંદે જૂથ આગળ છે. અહીં, શિંદે જૂથની શિવસેનાએ અત્યાર સુધીમાં 5 બેઠકો જીતી છે જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથે 4 બેઠકો જીતી છે. કેટલીક ગ્રામ પંચાયતોના પરિણામો આવવાના બાકી છે.

જીતના મામલે ભાજપ પ્રથમ સ્થાને છે

મહારાષ્ટ્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. સોમવારે બપોરે 3.30 વાગ્યા સુધીમાં ભાજપે 602 સીટો પર જીત મેળવી હતી. બીજેપીની જીત અન્ય પક્ષો કરતા ઘણી મોટી માનવામાં આવે છે કારણ કે અન્ય કોઈ રાજકીય પક્ષ તેની આગળ પહોંચી શક્યો નથી. બપોરે 3.30 વાગ્યા સુધીના પરિણામો અનુસાર 2359 ગ્રામ પંચાયતોમાંથી ભાજપે 602, શિંદે જૂથ 226, ઠાકરે જૂથ 103, કોંગ્રેસ 154, શરદ પવાર જૂથ 155 અને અજિત પવાર જૂથે 315 ગ્રામ પંચાયતો જીતી છે.

આ પણ વાંચો અજિત પવાર જૂથના વલણ પર મુખ્યપ્રધાન એકનાથ શિંદે નારાજ, જાણો બેઠકમાં શું નિર્દેશ આપવામાં આવ્યા

ચૂંટણીમાં ભાજપની સફળતા

એકંદરે આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપે સાબિત કરી દીધું છે કે પાયાના સ્તરે તેની પકડ મજબૂત બની છે. ગ્રામ પંચાયતના પરિણામો એ પણ દર્શાવે છે કે કાકા શરદ પવારથી અલગ થવાનો રાજકીય લાભ અજિત પવારને મળ્યો છે. બીજી તરફ શિવસેના સાથે છેડો ફાડનાર મુખ્યમંત્રી એકનાથ શિંદે માટે આ ચૂંટણી પરિણામ બૂસ્ટર ડોઝથી ઓછું નથી.

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">