Maharashtra: કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો

કોર્ટે 2014ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવારી પત્રોમાં મિલકતની વિગતો છુપાવવા બદલ રાજ્યના મંત્રી બચ્ચુ કડુને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.

Maharashtra: કોર્ટે મહારાષ્ટ્રના મંત્રી બચ્ચુ કડુને બે મહિનાની કેદ અને 25 હજારનો દંડ ફટકાર્યો
Maharastra State minister Bacchu Kadu- File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 11, 2022 | 10:44 PM

મહારાષ્ટ્ર (Maharashtra) ની અમરાવતી કોર્ટે (Amravarti Court) રાજ્યના મંત્રી બચ્ચુ કડુ (state minister Bacchu Kadu) ને બે મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટે 2014ની વિધાનસભા ચૂંટણી (Assembly election nomination) ના નામાંકન પત્રમાં સંપત્તિની વિગતો છુપાવવા બદલ 25,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ કેસમાં બચ્ચુ કડુએ જામીન અરજી કરી હતી અને કોર્ટે તેને સ્વીકારી લીધી છે. તેમજ અપીલ માટે 30 દિવસનો સમય આપવામાં આવ્યો છે. માહિતી અનુસાર બાળ કલ્યાણ અને શિક્ષણ રાજ્ય મંત્રી ઓમપ્રકાશ બાબુરાવ કડુ ઉર્ફે બચ્ચુ કડુએ 2014ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન એફિડેવિટમાં મુંબઈમાં પોતાના એક પણ ફ્લેટની માહિતી આપી ન હતી. આ અંગે ભાજપના કાઉન્સિલર ગોપાલ તિરામરેએ 2017માં બચ્ચુ કડુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારથી આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હતો.

બચ્ચુ કડુ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે

કોર્ટે કડુને લોક પ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ દોષી ઠેરવતા સજાની જાહેરાત કરી છે. બચ્ચુ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુરના ધારાસભ્ય છે. 2004માં, બચ્ચુ કડુ પ્રથમ વખત અચલપુર વિધાનસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે જીત્યા હતા. 2009, 2014 અને 2019માં પણ તેઓ ધારાસભ્ય બન્યા હતા. 2019 માં ચૂંટણી જીત્યા પછી, તેઓ મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ, એનસીપી ગઠબંધન સરકાર બનાવ્યા પછી બચ્ચુ કડુ શિવસેના ક્વોટામાંથી રાજ્ય મંત્રી છે.

આ કેસમાં રાજ્યકક્ષાના મંત્રી બચ્ચુ કડુ વતી મહેશ દેશમુખ, એબી કાલે અને સરકારી વકીલ વિનોદ વાનવાનખેડે સરકાર વતી દલીલો કરી હતી. આ સમયે બચ્ચુ કડુના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટમાં હાજર રહ્યા હતા. તાજેતરમાં, શિરજગાંવ નગરના રહેવાસી પ્રશાંત સદાશિવ સાતપુતે (40) એ 3 ફેબ્રુઆરીના રોજ ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી.

આ ઘટનાની માહિતી મળતા જ જળ સંસાધન રાજ્ય મંત્રી બચ્ચુ કડુ મૃતક ખેડૂત પ્રશાંત સદાશિવ સાતપુતેના ઘરે પહોંચ્યા અને તેમના પરિવારને સાંત્વના આપી. આ સાથે સ્થાનિક વહીવટીતંત્રને સાતપુતે પરિવારને આર્થિક મદદ કરવાની સૂચના આપવામાં આવી હતી અને પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

આ પણ વાંચો: કર્ણાટકનો હિજાબનો વિવાદ મુંબઈ સુધી પહોંચ્યો, કોલેજના એડમિશન પ્રોસ્પેક્ટસમાં બુરખા-હિજાબ અને લાજ પર પ્રતિબંધનો વિવાદ

આ પણ વાંચો: મહારાષ્ટ્ર CET પરીક્ષાનો અભ્યાસક્રમ અને માર્કિંગ સ્કીમ થઈ જાહેર, અહીં તપાસો તમામ વિગતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">