
જયદીપ મેઘરાજ નેમાડે (ઉંમર 25) લાલબાગચા રાજાના દર્શન માટે લાઇનમાં ઊભો હતો ત્યારે અચાનક તેની તબિયત લથડી હતી. તેને ગૂંગળામણ થવા લાગી હતી. જેના કારણે તેણે મિત્રોને જાણ કરી અને લાઇનમાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, થોડા જ સમયમાં તેની તબિયત વધુ ગંભીર બની હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ ઘટના 17 સપ્ટેમ્બરે રાત્રે 11:40 વાગ્યે બની હતી.
દર વર્ષની જેમ આ વર્ષે પણ જયદીપ પોતાના મિત્રો સાથે લાલબાગચા રાજાના દર્શન માટે મુંબઈ આવ્યો હતો. 17 સપ્ટેમ્બરની રાત્રે તે દર્શનની લાઇનમાં ઊભો હતો. તે દરમિયાન તેને અચાનક અસ્વસ્થતા અનુભવાઈ અને ગૂંગળામણની તકલીફ શરૂ થઈ હતી.
Jalgaon, Maharashtra: A 25-year-old transport professional from Jalgaon, Jaideep Meghraj Nemade, died after falling ill while queuing for Lalbaugcha Raja darshan in Mumbai,
Deceased’s Uncle Pramod Nemade says, “It gets very crowded there, and due to the heavy crowd and lack of… pic.twitter.com/Ey208hpp1q
— IANS (@ians_india) September 19, 2026
જયદીપે આ અંગે પોતાના મિત્રોને જણાવ્યું અને લાઇનમાંથી બહાર નીકળી ગયો. તેની તબિયત બગડતી હોવાનું ધ્યાનમાં આવતા ત્યાં હાજર પોલીસકર્મીઓએ તાત્કાલિક મદદ કરી. તેને મદદ કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ એમ્બ્યુલન્સની મદદથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેની સ્થિતિ ગંભીર બની ગઈ હતી. તબીબોએ તપાસ બાદ જયદીપને મૃત જાહેર કર્યો હતો.
જયદીપ જલગાંવના નેમાડે ટ્રાન્સપોર્ટના સંચાલક મેઘરાજ સુભાષ નેમાડેનો એકમાત્ર પુત્ર હતો. તે જીવનમોતી સોસાયટી, શિરસોલી રોડ, જલગાંવનો રહેવાસી હતો. તેણે મેકેનિકલ એન્જિનિયરિંગ બાદ MBAનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તે પુણેમાં નોકરી કરતો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશોત્સવ દરમિયાન મિત્રો સાથે મુંબઈ આવીને લાલબાગચા રાજાના દર્શન કરવાનો તેનો પ્લાન હતો. જોકે, દર્શનની લાઇનમાં જ તેનું અચાનક મોત થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
જયદીપની માતાનું 12 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું. પરિવારનો એકમાત્ર પુત્ર હોવાને કારણે તેના અચાનક મોતથી સમગ્ર નેમાડે પરિવાર પર શોકની લાગણી છવાઈ ગઈ છે. આ ઘટનાથી પરિવારજનો ઉપરાંત સંબંધીઓ અને મિત્રોમાં પણ શોકનો માહોલ છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જયદીપનો મૃતદેહ જલગાંવ મોકલવામાં આવ્યો હતો. શનિવારે (19 સપ્ટેમ્બર) સવારે તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો.