મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં મંત્રી જીતેન્દ્ર આવ્હડની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?

મહારાષ્ટ્રના એક સામાન્ય નાગરિક અનંત કરમુસેએ આરોપ લગાવ્યો છે કે જીતેન્દ્ર આવ્હડના લોકોએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી તેને જીતેન્દ્ર આવ્હડના બંગલામાં લઈ જવામાં આવ્યો. અને માર મારવામાં આવ્યો.

મહારાષ્ટ્ર: ઉદ્ધવ સરકારમાં મંત્રી જીતેન્દ્ર આવ્હડની ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો?
Minister Jitendra Awhad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 12:36 PM

મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારમાં મંત્રી જિતેન્દ્ર આવ્હાડની ગુરુવારે અનંત કરમુસે અપહરણ અને હુમલો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જીતેન્દ્ર આવ્હાડ મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર છે. બાદ માં થાણેની એક અદાલતે તેમને 10,000 રૂપિયાના વ્યક્તિગત જાતિના બોન્ડ પર જામીન આપ્યા હતા.

બનેલી ઘટનામાં સામે આવ્યું છે કે એક સામાન્ય એન્જીનિયર અનંત કરમુસ નામના વ્યક્તિ પર હુમલો કરવા બદલ જિતેન્દ્ર આવ્હાડની ધરપકડ કરવામાં આવી હતી. અનંત કરમુસનું કહેવું છે કે તેણે મંત્રીનો એક ફોટો મોર્ફ્ડ કરીને સોશિયલ મીડિયામાં મુક્યો હતો. જેને લઈને તેનું અપહરણ કરીને માર મારવામાં આવ્યો. અનંત કરમુસેએ આરોપ લગાવ્યો હતો કે જીતેન્દ્ર આવ્હાડના લોકોએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી તેને જીતેન્દ્ર આવ્હાડના બંગલામાં લઈ જવામાં આવ્યો. જ્યાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.

સમગ્ર ઘટનાને લઈને કરમુસેએ જીતેન્દ્ર આવ્હાડ સામે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે આવ્હાડની ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ મંત્રી જિતેન્દ્ર આવ્હાડ ગુરુવારે વર્તક નગર પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. ત્યાં મંત્રીની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ પોલીસે આવ્હાડનું નિવેદન પણ નોંધ્યું હતું. આ પછી તેમને થાણે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. થાણેની એક અદાલતે તેમને 10,000 રૂપિયાના વ્યક્તિગત જાતિના બોન્ડ પર જામીન આપ્યા હતા.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

શું હતો સમગ્ર મામલો?

ઘોડબંદર રોડ પર આનંદનગર વિસ્તારમાં રહેતા અનંત કરમુસેએ મંત્રી જીતેન્દ્ર આવ્હાડ વિશે એક પોસ્ટ મૂકી હતી. જે મંત્રી માટે વાંધાજનક હતી. આ પોસ્ટને પગલે 5 એપ્રિલ, 2020 ની રાત્રે કરમુસેને પોલીસ જ મંત્રીના બંગલામાં લઇ ગઈ હતી. જ્યાં કથિત રીતે 15 થી 20 લોકોએ તેની સાથે મારપીટ કરી હતી. કરમુસેએ આ બાબતે ફરિયાદ કરી છે. તેમાં જણાવાયું છે કે તેના પર હુમલો થયો અને માર મારવામાં આવ્યો ત્યારે મંત્રી બંગલા પર પણ હાજર હતા. મંત્રીએ આરોપોને નકાર્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ માંગ કરી હતી કે આવ્હાડને મંત્રીમંડળમાંથી હટાવવામાં આવે.

આ કેસમાં ત્રણ પોલીસકર્મીઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ સાથે કરમુસેએ એક ફોટો પણ શેર કર્યો છે. જેમાં તેની પીઠ પર હુમલાના નિશાન દેખાય છે. તેણે આરોપ લગાવ્યો હતો કે આવ્હડના લોકોએ તેને ખરાબ રીતે માર્યો હતો.

આ પણ વાંચો: Shocking: ગાયક રાહુલ જૈન વિરુધ્ધ કરી મહિલાએ FIR, બે વાર કરાવ્યો ગર્ભપાત, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો: 16 ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલશે બોમ્બે હાઈકોર્ટની ઐતીહાસિક ઈમારત, 2018 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં મળ્યુ હતું સ્થાન

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">