કોંગ્રેસના નેતાનું અક્કલનું પ્રદર્શન, કહ્યું ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લમ્પી વાયરસ

|

Oct 04, 2022 | 8:29 AM

બીજેપીએ કહ્યું કે નાના પટોલેને લાગે છે કે લમ્પી વાયરસ ચિત્તાઓ દ્વારા ફેલાય છે, જ્યારે આ ચિત્તા ક્યાંથી આવ્યા છે તે ખબર નથી. પ્રથમ, તેઓએ તેમની માહિતીને ઠીક કરવી જોઈએ તે પછી આ ચિત્તાઓ પર ટિપ્પણી કરવી જોઈએ.

કોંગ્રેસના નેતાનું અક્કલનું પ્રદર્શન, કહ્યું ચિત્તાને કારણે દેશમાં ફેલાયો લમ્પી વાયરસ
Lumpy virus spread in the country due to cheetah: Congress leader's statement

Follow us on

રાજકારણીઓને રાજકારણ(Politics ) કરવા માટે કોઈપણ મુદ્દાની જરૂર હોય છે. હવે મહારાષ્ટ્રના (Maharashtra )રાજકારણમાં ભાજપ કોંગ્રેસ તાજેતરમાં ભારત લાવવામાં આવેલા ચિત્તા(Cheetah ) પર રાજનીતિ કરવા ઉતરી આવ્યા છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષે બીજેપી પર ચિત્તા ને લઈને નિશાન સાધ્યું છે. જેને લઈને ફરી એકવાર રાજનીતિમાં ગરમાટો આવી ગયો છે.

તમને જણાવી દઈએ કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા આઠ ચિત્તાઓને 17 દિવસ થયા છે. તમામ ચિત્તાઓને અલગ-અલગ એન્ક્લોઝરમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. આ દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેનું આ ચિત્તા અંગે કરેલા નિવેદને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યું છે.

અધૂરી માહિતી સાથે કર્યું નિવેદન : બીજેપી

નાના પટોલેએ આ ચિત્તાઓને દેશમાં લમ્પી વાયરસ ફેલાવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું કે આજે દેશમાં લમ્પી વાયરસના કારણે ગાયોના મૃત્યુ માટે આ ચિત્તાઓ જ જવાબદાર છે. જેના કારણે લમ્પી વાયરસ ફેલાયો છે. જોકે હાસ્યાસ્પદ વાત એ પણ છે કે નાના પટોલેએ નિવેદન આપતી વખતે ખોટી માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ચિતાઓ નાઈજીરિયા આવ્યા હતા, જ્યારે ચિત્તા નામીબિયાથી આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેના નિવેદન બાદ ભાજપે તેમના પર વળતો પ્રહાર કર્યો છે. બીજેપીએ કહ્યું કે નાના પટોલેને લાગે છે કે લમ્પી વાયરસ ચિત્તાઓ દ્વારા ફેલાય છે, જ્યારે આ ચિત્તા ક્યાંથી આવ્યા છે તે ખબર નથી. પ્રથમ, તેઓએ તેમની માહિતીને ઠીક કરવી જોઈએ તે પછી આ ચિત્તાઓ પર ટિપ્પણી કરવી જોઈએ.

નાના પટોલે મહારાષ્ટ્રના રાહુલ ગાંધી : બીજેપી પ્રવક્તા

બીજેપી પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું, “નાના પટોલે મહારાષ્ટ્રના રાહુલ ગાંધી છે. તેઓ અધૂરી માહિતી સાથે પણ બોલે છે. નાના પટોલેએ કહ્યું કે લમ્પી વાયરસ નાઈજીરિયાથી આવ્યો હતો. પીએમ મોદી નાઈજીરિયાથી ચિત્તા લાવ્યા છે. આ ચિત્તાઓએ આ વાયરસ ફેલાવ્યો છે, પરંતુ તેમને એ પણ ખબર નથી કે નાઈજીરિયા અને નામિબિયા અલગ-અલગ દેશ છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા પર પણ નિશાન સાધ્યું

તે જ સમયે, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેને સાચી માહિતી સાથે વાત કરવા કહ્યું. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે અમે આ પહેલા પણ સ્પષ્ટપણે કહી ચૂક્યા છીએ અને હજુ પણ સ્પષ્ટ કહી રહ્યા છીએ કે દીપડા નાઈજીરિયાથી નહીં પણ નામિબિયાથી આવ્યા હતા. તો કોંગ્રેસના લોકોએ ભ્રમ ફેલાવવાનું બંધ કરી લોકોને સાચી માહિતી આપવી જોઈએ. અમારી સરકાર પણ લમ્પી વાયરસના ફેલાવાને રોકવા માટે વ્યસ્ત છે. ટૂંક સમયમાં તેના પર અંકુશ આવી જશે.

Published On - 8:29 am, Tue, 4 October 22

Next Article