LOCKDOWN IN MAHARASHTRA : સર્વદલીય બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે LOCKDOWN સિવાય કોઈ ઉપાય નથી

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના ચેપને રોકવા માટે શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સર્વદલીય બેઠકમાં કહ્યું હતું કે LOCKDOWN સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. 12 થી 15 એપ્રિલ સુધી પરિસ્થિતિ વધુ વણસશે.

LOCKDOWN IN MAHARASHTRA : સર્વદલીય બેઠકમાં CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે LOCKDOWN સિવાય કોઈ ઉપાય નથી
FILE PHOTO : CM Uddhav Thackeray
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 8:01 PM

LOCKDOWN IN MAHARASHTRA : મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે શનિવારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે LOCKDOWN સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. મહારાષ્ટ્રને કડક લોકડાઉનની જરૂર છે. 12 થી 15 એપ્રિલ સુધી પરિસ્થિતિ વધુ વણસશે. કોરોનાની સાંકળ તોડવી જરૂરી છે. કોરોના વેક્સીન આપ્યા બાદ પણ લોકો કોરોના સંક્રમિત થઇ રહ્યા છે. સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવું જરૂરી છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે આગામી 2 દિવસમાં મહારાષ્ટ્રમાં લોકડાઉન કરવાનો નિર્ણય જાહેર કરશે.

બે થી ત્રણ અઠવાડિયા સુધી લાગી શકે છે લોકડાઉન મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં 8 દિવસ માટે કડક પ્રતિબંધો લાગુ થઈ શકે છે. પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરી શકાય છે. અ સાથે જ રસીકરણની ગતિ વધારવી પડશે. બેઠકમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ટેસ્ટીંગની સંખ્યા વધારવી જોઈએ.

મહારાષ્ટ્રમાં દરરોજ કોરોના ચેપના 55 હજારથી વધુ નવા કેસ આવી રહ્યા છે. કોરોનાને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્યપ્રધાને બે થી ત્રણ અઠવાડિયા સુધી મહારાષ્ટ્રમાં સંપૂર્ણ LOCKDOWNનો અમલ કરવાનો સંકેત આપ્યો છે. રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોના પગલે રાજ્યમાં ટૂંક સમયમાં પરિસ્થિતિ સતત બગડતી રહે તો જલ્દીથી બે થી ત્રણ અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જરૂર પડશે.

સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે
આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર

30 એપ્રિલ સુધી લાગુ છે વિકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ રાજ્યમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર સરકારે 30 એપ્રિલ સુધી વિકેન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ સહિત અન્ય પ્રતિબંધો લાગુ કર્યા હતા. આ અંતર્ગત શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. આ સમય દરમિયાન તમામ આવશ્યક સેવાઓની છૂટ આપવામાં આવી છે. મેડીકલ શોપ્સ અને દૂધ કેન્દ્રો સિવાય અન્ય તમામ દુકાનો અને વ્યવસાયિક મથકો બંધ રહેશે. લોકો હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ફૂડ પાર્સલ મેળવવા માટે નહીં જઈ શકે. વિદ્યાર્થીઓને વાલીઓ સાથે પરીક્ષા આપવાની છૂટ છે.

વિકેન્ડ લોકડાઉન મળ્યો સારો પ્રતિસાદ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને અંકુશમાં રાખવા માટે લાદવામાં આવેલા વિકેન્ડ લોકડાઉન સારો પ્રતિસાદ મળ્યો છે અને મુંબઇ, પુણે, ઔરંગાબાદ અને નાગપુર સહિત રાજ્યના મોટાભાગના ભાગોમાં રસ્તાઓ અને બજારો સુમસાન દેખાયા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી. મુંબઇના કેટલાક બજારો સહિત રાજ્યના કેટલાક સ્થળોએ, લોકો એક સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ રહ્યા હતા અને સામાજિક અંતર અને અન્ય નિયમો તોડતા જોવા મળ્યા હતા. રાજ્યમાં પ્રથમ વિકેન્ડ લોકડાઉન શુક્રવારે રાત્રે આઠ વાગ્યે શરૂ થયું હતું અને સોમવારે સવારે સાત વાગ્યા સુધી ચાલુ રહેશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">