બોલીવુડ અભિનેતા ઈરફાન ખાનની તબિયત બગડી હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે. કોકિલાબેન હોસ્પિટલમાં તેઓ લાંબા સમયથી સારવાર લઈ રહ્યાં હતા. જો કે તેમની તબિયત વધારે લથડી જતાં આઈસીયુ વિભાગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. સારી વાત એ છે કે ઈરફાનની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : અરવલ્લી: ખેતીને કોરોનાનું ગ્રહણ, ખેડૂતોને તરબૂચની ખેતીમાં મોટાપાયે નુકસાન
ઈરફાનની તબિયત આંતરડામાં સોજો આવવાથી બગડી ગઈ હતી અને સાથે તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી. જો કે હવે તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો છે અને આશા રાખવામાં આવી રહી છે તેઓ જલદીથી સ્વસ્થ થઈ જશે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનના લીધે તેઓ પોતાના માતાના અવસાન બાદ તેમના અંતિમ સંસ્કારમાં પણ જઈ શક્યા નહોતા.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
25 એપ્રિલના રોજ ઈરફાન ખાનની માતા સઈદા બેગમનું અવસાન થયું હતું. રાજસ્થાનના જયપુર સ્થિત ઘરમાં સઈદા બેગમે અંતિમ શ્વાસ લીધા હતા. કોરોનાના લીધે લોકડાઉનની સ્થિતિ હોવાથી ઈરફાન ખાન માતાની અંતિમ યાત્રામાં સામેલ થઈ શક્યા નહીં. ઈરફાન ખાનની તબિયત પહેલાં પણ બગડી હતી અને તેઓએ 2017ના વર્ષમાં ન્યૂરો ઈંડોક્રાઈન ટ્યુમર નામની બીમારીનો ઈલાજ પણ કરાવ્યું હતું. જો કે આ ઈલાજ કરાવીને તેઓ ભારત પરત આવ્યા હતા અને અંગ્રેજી મીડિયમ ફિલ્મનું શૂટિંગ કર્યું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:55 pm, Tue, 28 April 20