રક્ષા કવચ : ઓમિક્રોનના જોખમને પગલે આ શહેરમાં 45,000 આરોગ્ય કર્મચારીઓ લેશે ‘પ્રિકોશન ડોઝ’

તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં સોમવારથી બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ડોઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરીને અથવા સીધા કેન્દ્ર પર જઈને લઈ શકાય છે.

રક્ષા કવચ :  ઓમિક્રોનના જોખમને પગલે આ શહેરમાં 45,000 આરોગ્ય કર્મચારીઓ લેશે 'પ્રિકોશન ડોઝ'
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2022 | 2:35 PM

Maharashtra : છેલ્લા કેટલાક સમયથી કોરોના રસીના બૂસ્ટર ડોઝની (Booster Dose) માગણી કરવામાં આવી રહી હતી,ત્યારે આજથી સમગ્ર દેશમાં બૂસ્ટર ડોઝ આપવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્રમાં  સોમવારથી ફ્રન્ટલાઈન વર્કર્સ,(Frontline Workers)  60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો કે જેઓ કોઈપણ રોગથી પીડિત છે તેમને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે.

આ રીતે મળશે બૂસ્ટર ડોઝ

ઉલ્લેખનીય છે કે, વધતા જતા કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને આ બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે એકવાર આ ડોઝ ફ્રન્ટલાઈન અને આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવશે તે બાદ અન્ય લોકોને પણ આ બુસ્ટર ડોઝ આપવામાં આવશે.આજથી તમામ સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી રસીકરણ કેન્દ્રોમાં બુસ્ટર અથવા નિવારણ ડોઝ આપવામાં આવી રહ્યા છે. આ ડોઝ ઓનલાઈન રજીસ્ટ્રેશન(Registration)  કરીને અથવા સીધા કેન્દ્ર પર જઈને લઈ શકાય છે.

નાસિકમાં 45,000 આરોગ્ય કર્મચારીઓ લેશે ‘પ્રિકોશન ડોઝ’

તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં (Nasik District)  45 હજાર જેટલા આરોગ્ય કર્મચારીઓને ‘પ્રિકોશન ડોઝ’આપવામાં આવશે, આ માટે કોઈપણ પ્રકારનું મેડિકલ સર્ટિફિકેટ બતાવવાની જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, 10 એપ્રિલ 2021 પહેલા કોરોના રસીનો ડોઝ લઈ ચૂકેલા 45 હજાર આરોગ્ય કર્મચારીઓ આ અભિયાન હેઠળ’પ્રિકોશન ડોઝ’ લેવા માટે પાત્રતા ધરાવે છે. આ સાથે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે કે આરોગ્ય કર્મચારીઓ વહેલી તકે આ ડોઝ લઈને સુરક્ષા મેળવે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા નિયંત્રણો લાગુ

મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા નવા નિયંત્રણો(Corona Guidelines)  લાગુ કરવામાં આવ્યા છે. આ મુજબ, સવારે 5 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી કલમ 144 અમલમાં રહેશે અને રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. ઉપરાંત ખાનગી ઓફિસો અને વિવિધ સંસ્થાઓમાં માત્ર 50 ટકા કર્મચારીઓની હાજરીની મંજૂરી આપવામાં આવશે. તેમજ મુંબઈ લોકલ ટ્રેન અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં(Public Transport)  મુસાફરી માટે સંપૂર્ણ રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો: કોરોનાનો અજગરી ભરડો: મુંબઈમાં 18 IPS ઓફિસર સહિત 114 પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવતા ખળભળાટ

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">