AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર

Maharashtra Politics: અજિત પવારનું સપનું સાકાર થયું છે. તેઓ ફરી એકવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. આ વખતે તેઓ 40 ધારાસભ્યોને સાથે લાવ્યા છે. શરદ પવાર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભત્રીજાએ તેમની પાસેથી પાર્ટી છીનવી લીધી.

Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર
Sharad Pawar
| Updated on: Jul 02, 2023 | 5:42 PM
Share

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. એનસીપી નેતા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. આ દરમિયાન એનસીપી(NCP)ના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિનો ચિતાર સાફ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે 5 લોકો સાથે બનેલી પાર્ટીને ફરી જીવંત કરવામાં આવશે. તેણે આ પ્રકારનો બળવો પહેલા પણ જોયો છે. સાથે જ પવારે કહ્યું છે કે તેઓ અજિત પવારની સાથે નથી.

તેમણે કહ્યું કે આજે કેટલાક ધારાસભ્યોએ તેમને બોલાવ્યા અને કહ્યું કે તેમની પર સહી કરવાની ફરજ પડી છે. બળવાખોર નેતાઓ પાછા આવશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને કહ્યું કે તેઓ તેમની સાથે છે. આ સિવાય તેમણે કહ્યું કે એનસીપી પર કોની સત્તા હશે તે લોકો નક્કી કરશે.

આ પણ વાંચો : Maharashtra: નેતા વિપક્ષની સરકારમાં સીધી એન્ટ્રી, અજિત પવારને સાથે લઈને ભાજપે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન

સમગ્ર મહારાષ્ટ્રમાં ફરશે અને જનતાની સામે જશે

શરદ પવારે કહ્યું કે તેઓ સમગ્ર મહારાષ્ટ્રમાં ફરશે અને જનતાની સામે જશે. લોકોને મળશે અને પોતાની વાત રાખશે. આ સાથે જ NCPના વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું છે કે થોડા દિવસ પહેલા પીએમએ કહ્યું હતું કે એનસીપી ખતમ થઈ ગઈ છે. હું ખુશ છું કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા. આનાથી તેના ભ્રષ્ટાચારના આરોપોનો અંત આવ્યો. પવારે આ માટે પીએમનો આભાર માન્યો છે.

પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સામે પગલાં લેવાશે – શરદ પવાર

એનસીપી પ્રમુખે વધુમાં કહ્યું કે વિપક્ષના નેતા અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને છે. આગામી બે-ત્રણ દિવસમાં અમે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. તેમની મુખ્ય તાકાત સામાન્ય લોકો છે, તેમણે અમને ચૂંટ્યા છે. ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ એકસાથે બેસીને બળવાખોર નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે. પ્રમુખ હોવાને કારણે મેં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેની નિમણૂક કરી હતી, પરંતુ તેઓએ તેમની જવાબદારીઓ નિભાવી ન હતી. તેથી મારે તેમની સામે કોઈ કાર્યવાહી કરવી પડશે.

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">