AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર

Maharashtra Politics: અજિત પવારનું સપનું સાકાર થયું છે. તેઓ ફરી એકવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બન્યા છે. આ વખતે તેઓ 40 ધારાસભ્યોને સાથે લાવ્યા છે. શરદ પવાર વિપક્ષને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભત્રીજાએ તેમની પાસેથી પાર્ટી છીનવી લીધી.

Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર
Sharad Pawar
| Updated on: Jul 02, 2023 | 5:42 PM
Share

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. એનસીપી નેતા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. આ દરમિયાન એનસીપી(NCP)ના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિનો ચિતાર સાફ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે 5 લોકો સાથે બનેલી પાર્ટીને ફરી જીવંત કરવામાં આવશે. તેણે આ પ્રકારનો બળવો પહેલા પણ જોયો છે. સાથે જ પવારે કહ્યું છે કે તેઓ અજિત પવારની સાથે નથી.

તેમણે કહ્યું કે આજે કેટલાક ધારાસભ્યોએ તેમને બોલાવ્યા અને કહ્યું કે તેમની પર સહી કરવાની ફરજ પડી છે. બળવાખોર નેતાઓ પાછા આવશે. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ તેમને કહ્યું કે તેઓ તેમની સાથે છે. આ સિવાય તેમણે કહ્યું કે એનસીપી પર કોની સત્તા હશે તે લોકો નક્કી કરશે.

આ પણ વાંચો : Maharashtra: નેતા વિપક્ષની સરકારમાં સીધી એન્ટ્રી, અજિત પવારને સાથે લઈને ભાજપે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન

સમગ્ર મહારાષ્ટ્રમાં ફરશે અને જનતાની સામે જશે

શરદ પવારે કહ્યું કે તેઓ સમગ્ર મહારાષ્ટ્રમાં ફરશે અને જનતાની સામે જશે. લોકોને મળશે અને પોતાની વાત રાખશે. આ સાથે જ NCPના વરિષ્ઠ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો છે. તેમણે કહ્યું છે કે થોડા દિવસ પહેલા પીએમએ કહ્યું હતું કે એનસીપી ખતમ થઈ ગઈ છે. હું ખુશ છું કે મારા કેટલાક સાથીઓએ શપથ લીધા. આનાથી તેના ભ્રષ્ટાચારના આરોપોનો અંત આવ્યો. પવારે આ માટે પીએમનો આભાર માન્યો છે.

પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે સામે પગલાં લેવાશે – શરદ પવાર

એનસીપી પ્રમુખે વધુમાં કહ્યું કે વિપક્ષના નેતા અંગે નિર્ણય લેવાનો અધિકાર સ્પીકરને છે. આગામી બે-ત્રણ દિવસમાં અમે કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે સાથે બેસીને સ્થિતિનું મૂલ્યાંકન કરીશું. તેમની મુખ્ય તાકાત સામાન્ય લોકો છે, તેમણે અમને ચૂંટ્યા છે. ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ એકસાથે બેસીને બળવાખોર નેતાઓ સામે કોઈપણ કાર્યવાહી અંગે નિર્ણય લેશે. પ્રમુખ હોવાને કારણે મેં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેની નિમણૂક કરી હતી, પરંતુ તેઓએ તેમની જવાબદારીઓ નિભાવી ન હતી. તેથી મારે તેમની સામે કોઈ કાર્યવાહી કરવી પડશે.

શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
શિક્ષણના ધામમાં થઈ અખાડા વાળી, સેવન્થ ડે સ્કૂલને તાળાબંધી
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
USAમાં ભારતની કઈ ચીજવસ્તુ પર કેટલા ટકા લદાશે ટેરિફ ?
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
g clip-path="url(#clip0_868_265)">