હવામાન વિભાગની માહિતી મુજબ વાવાઝોડાએ ઝડપથી આગળ વધવાનું શરૂ કર્યું છે. સાઈક્લોન તૌકતે લક્ષદ્વીપ અરબી સમુદ્રમાંથી પસાર થવાનું શરૂ થઈ ગયું છે. હાલ આ વાવાઝોડું દક્ષિણ-પૂર્વ અને પૂર્વ-મધ્ય તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના ને લીધે સ્થિતી ખરાબ થતા તો જરૂર પડશે તો સ્થાનિક વહીવટ દ્વારા નાગરિકોને વિસ્થાપનની સૂચનાઓ જારી કરાઈ છે અનેે તંત્ર તરફથી તેની તૈયારી કરવામાં આવી રહી છે.
15 મે ના રોજ રત્નાગીરી, સિંધુદુર્ગ, કોલ્હાપુર સતારા સાંગલી સહિત મુંબઈ પાલઘર થાણેમાં પણ હળવા વરસાદની સંભાવના છે. મુંબઇના તમામ બીચ પર પાલિકાએ એલર્ટ જારી કર્યું છે. BMC ના 24 વાર્ડમાં કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો કોલીવાડાના નાગરિકોને બીચ પર સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
હવામાન વિભાગે 15 થી 17 મે દરમિયાન મહારાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. શનિવારે સવારથી જ મુંબઈમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વરસાદ પહેલા મુંબઈના બીકેસી, નરીમન પૉઇંટ, દાદર, અંધેરી, સાથે ઠાણે જેવા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કેટલીક જગ્યાએ તો હળવા ઝાપટા પડ્યા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રમાં નીચા દબાણવાળા ક્ષેત્રની રચના થઈ છે. તેથી આગામી 24 કલાકમાં તે વાવાઝોડામાં ફેરવાશે.
ચક્રવાત 18 મે ની સાંજે કોંકણ અને મુંબઇ સમુદ્ર પાર કરશે. તે પછી તૌકતે વાવાઝોડું ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠે પહોંચશે. હવામાન વિભાગની આગાહી મુજબ તોફાનથી મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, કેરળ અને કર્ણાટક પ્રભાવિત થવાની શક્યતા છે.
પાંચેય રાજ્યોમાં વહીવટી તંત્ર દ્વારા ચેતવણી જારી કરાયેલ છે.