મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં રાહત બાદ ફરી આવ્યો ઉછાળો, 900 થી વધુ લોકોનાં મોત, મુંબઈમાં વધ્યા કેસ

|

May 05, 2021 | 9:47 PM

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના બુધવારે 57640 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 920 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57006 લોકો પણ સ્વસ્થ થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં રાહત બાદ  ફરી આવ્યો ઉછાળો, 900 થી વધુ લોકોનાં મોત, મુંબઈમાં વધ્યા કેસ
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં રાહત બાદ ફરી આવ્યો ઉછાળો

Follow us on

મહારાષ્ટ્રમાં Corona વાયરસના બુધવારે 57640 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 920 લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 57006 લોકો પણ સ્વસ્થ થયા છે. રાજ્યમાં 57 હજારથી વધુ નવા કેસ સાથે કુલ કોરોના ચેપગ્રસ્તનો આંકડો 4,880,542 પર પહોંચી ગયો છે. જ્યારે 900 થી વધુ મૃત્યુ પછી રાજ્યમાં અત્યાર સુધીમાં 72662 લોકોનાં મોત થયાં છે.

મુંબઈમાં આશરે 4000 નવા કેસ

આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક દિવસમાં રાજ્યમાં Corona ના 279200 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 28384582 ટેસ્ટ કરવામાં આવ્યા છે. થોડી રાહત બાદ ફરી એકવાર મુંબઈમાં આશરે 4000 નવા કેસ નોંધાયા છે. મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3882 નવા કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાને કારણે વધુ 77 લોકોનાં મોત નીપજ્યાં છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઔરંગાબાદમાં 981 નવા કેસ

ઔરંગાબાદમાં Corona  વાયરસના ચેપના 981 નવા કેસ નોંધાયા છે અને આની સાથે મહારાષ્ટ્રના આ જિલ્લામાં કોરોના ચેપનો કુલ આંક વધીને 127958 થઈ ગયો છે. મંગળવારે જિલ્લામાં કોરોનાને કારણે વધુ 43 લોકોનાં મોત બાદ કુલ મૃત્યુઆંક 2631 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું કે 981 નવા કેસોમાંથી શહેરમાં 374 અને ગ્રામીણ વિસ્તારોમાં 607 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 115535 લોકો કોરોનાથી મુક્ત થયા છે.

થાણેમાં 2,190 નવા કેસ

થાણેમાં એક જ દિવસમાં કોરોના વાયરસના 2190 નવા કેસ નોંધાયા બાદ કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 477177 થઈ ગઈ છે. એક અધિકારીએ મંગળવારે કહ્યું કે આ નવા કેસ મંગળવારે પ્રકાશમાં આવ્યા છે. તેમણે કહ્યું કે રોગચાળાને કારણે વધુ 52 દર્દીઓનાં મોતને કારણે મૃતકોની કુલ સંખ્યા વધીને 7780 થઈ ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે જિલ્લામાં કોવિડ -19 માંથી મૃત્યુ દર 1.63 ટકા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દર્દીઓની રિકવરી અને સારવાર અંગેની માહિતી આપવામાં આવી નથી.

Published On - 9:44 pm, Wed, 5 May 21

Next Article