ચોથી લહેરના ભણકારા ! મહારાષ્ટ્રમાં ફરી કોરોના કેસોમાં વધારો થતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ
દેશમાં ફરી એકવાર કોરોનાનું જોખમ ધીમે- ધીમે વધી રહ્યું છે. દેશની રાજધાની દિલ્હી બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ફરીથી કોરોનાના કેસમાં (Corona Case) વધારો થયો છે.
દેશમાં ફરી એકવાર કોરોનાએ (Coronavirus) માથું ઉંચક્યુ છે. દેશની રાજધાની દિલ્હી બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. જો કે વધતા જતા કેસોને લઈને મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) દાવો કર્યો છે કે તમામ સ્થિતિ નિયંત્રણમાં છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેનું કહેવું છે કે ભલે થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ લોકોએ આના કારણે ગભરાવાની (Covid Pandemic) જરૂર નથી. રાજ્યના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે બધું સરકારના નિયંત્રણમાં છે અને લોકોએ ગભરાવાની જરૂર નથી.
મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોનાના વધતા જતા કેસો પર કહ્યું છે કે મહારાષ્ટ્રમાં કોવિડની સ્થિતિ નિયંત્રણમાં છે, કોઈ પણ રીતે ગભરાટનું વાતાવરણ નથી. વધુમાં તેણે કહ્યું કે કેટલાક કેસ વધ્યા હોવા છતાં પરંતુ બધું નિયંત્રણમાં છે.
સરકારે કોરોના ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા સર્વેલન્સ વધાર્યું
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે અમે ટ્રેકિંગ સિસ્ટમ પર ભાર મૂક્યો છે અને ટાસ્ક ફોર્સ પાસેથી તમામ માહિતી લેતા રહીએ છીએ, અમે તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. સાથે જ ટોપેએ કહ્યું કે, અમે બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. 12થી 15 વર્ષના બાળકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે, વરિષ્ઠ નાગરિકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે, આ ડોઝ ખાનગી હોસ્પિટલોમાં આપવામાં આવી રહ્યો છે.
લાઉડસ્પીકર અંગે નિયમો બનાવી રહી છે મહારાષ્ટ્ર સરકાર
સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે હાલ પરિસ્થિતિને જોતા માસ્ક પહેરવુ ફરજિયાત છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું જરૂરી છે. બીજી તરફ લાઉડસ્પીકર અંગે મહારાષ્ટ્ર સરકારના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે સરકાર લાઉડસ્પીકર અંગે નિયમો બનાવી રહી છે અને જ્યારે નિયમો બનશે ત્યારે તમામ મામલો ખતમ થઈ જશે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : મહારાષ્ટ્રઃ BJP ધારાસભ્ય ગણેશ નાઈકને શોધી રહી છે પોલીસ, બળત્કાર સહિતના નેતાજી પર આરોપ