Maharashtra: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના PAના બંગલા પર ચાલ્યું બુલડોઝર, જાણો ભાજપના નેતાએ શું આપ્યું નિવેદન

|

Aug 22, 2021 | 9:41 PM

ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ આ બંગલાના ગેરકાયદેસર બાંધકામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ બંગલાની ગેરકાયદેસરતાના ઘણા પુરાવાઓ પણ આપ્યા હતા.

Maharashtra: મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના PAના બંગલા પર ચાલ્યું બુલડોઝર, જાણો ભાજપના નેતાએ શું આપ્યું નિવેદન
CM Uddhav Thackeray's Secretary Milind Narvekar's illegal bunglow demolished

Follow us on

Maharashtra:  મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) પીએ મિલિંદ નાર્વેકરનો (Milind Narvekar, Secretary Shivsena) દરિયા કિનારે બનાવેલો ગેરકાયદેસર બંગલો ધરાશાયી થઈ ગયો છે. જે બંગલા પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે તે રત્નાગિરી જિલ્લાના દાપોલી તાલુકાના મુરુડ દરિયા કિનારા પર આવેલો હતો.

ભાજપના મહારાષ્ટ્ર ઉપાધ્યક્ષ કિરીટ સોમૈયાએ આ બંગલાના ગેરકાયદેસર બાંધકામ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમણે આ બંગલાની ગેરકાયદેસરતાના ઘણા પુરાવાઓ પણ આપ્યા હતા. આ પછી નાર્વેકરે જાતે જ પોતાનો બંગલો તોડવાનું શરૂ કર્યું. મિલિંદ નાર્વેકરને મુખ્યમંત્રીના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. તેથી, આ ઘટના બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાનું બજાર ગરમ જોવા મળી રહ્યું છે.

કિરીટ સોમૈયા દ્વારા બંગલાની તોડ – ફોડનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે, ‘અમે તે કરી બતાવ્યું, હવે પછીનો  નંબર પરિવહન મંત્રી અનિલ પરબ (Anil Parab, Minister of Transport, Maharashtra) ના રિસોર્ટનો છે.’ આગળ કિરીટ સોમૈયાએ લખ્યું છે, ‘કાલે હું જાતે જ દપોલી જઈને,  તોડવા માટે થયેલાં કામની તપાસ કરીશ. ‘

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અમે તે કરી બતાવ્યું, હવે આગળ પરિવહન મંત્રી અનિલ પરબનો નંબર- કિરીટ સોમૈયાનું નિવેદન

મિલિંદ નાર્વેકરના બંગલાનું બાંધકામ સીઆરઝેડ-3 (કોસ્ટલ રેગ્યુલેશન ઝોન-CRZ) હેઠળ આવી રહ્યું હતું. સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે મિલિંદ નાર્વેકર દ્વારા આ બંગલાના નિર્માણ માટે વહીવટીતંત્ર પાસેથી કોઈ પરવાનગી લેવામાં આવી નથી. તેમણે આ અંગે સંબંધિત ગ્રામ પંચાયત, તહસીલ કચેરી, જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા બીચ વ્યવસ્થાપન સમિતિ, મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી અને પર્યાવરણ વિભાગને ફરિયાદ કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

કિરીટ સોમૈયા દ્વારા એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો કે મુખ્યમંત્રી કાર્યાલયના દબાણને કારણે કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ ફરિયાદ બાદમાં લોકાયુક્ત અને નેશનલ ગ્રીન ઓથોરિટી સુધી પણ પહોચાડવામાં આવી હતી. આ સમગ્ર ઘટના પછી, હવે મિલિંદ નાર્વેકર દ્વારા જ તેમના બંગલા પર હથોડા મારવામાં આવ્યા છે અને બંગલાને તોડી પાડવાની સ્થિતિમાં પહોચાડાયો છે.

આ ઉપરાંત કિરીટ સોમૈયાએ આક્રમક પ્રહારો પણ કર્યા. તેમના જણાવ્યા મુજબ રાજ્યના પરિવહન મંત્રી અનિલ પરબે પણ મુરુડના બીચ પર ગેરકાયદેસર રિસોર્ટ પણ બનાવ્યા છે. તેમણે આની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે અનિલ પરબના રિસોર્ટ પર કોઈ કાર્યવાહી થાય છે કે નહીં.

આ પણ વાંચો :

Super Dancer Chapter 4 : પવનદીપ, અરુણિતા અને ઇન્ડિયન આઇડલ સ્પર્ધકોના તાલ પર ડાન્સ કરશે સુપર ડાન્સર, જુઓ વીડિયો

Next Article