AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સીએમ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, વારંવાર મર્દ હોવાની વાત કરો છો, કોઈ શંકા છે ?

ઉદ્ધવ ઠાકરે પર એકનાથ શિંદેઃ શિંદેએ કહ્યું કે જો ઉદ્ધવને અસલી શિવસેના જાણવા માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર લેવું પડે તો તેનાથી મોટી કમનસીબી બીજી શું હોઈ શકે.

સીએમ એકનાથ શિંદેનો ઉદ્ધવ ઠાકરેને સવાલ, વારંવાર મર્દ હોવાની વાત કરો છો, કોઈ શંકા છે ?
Eknath Shinde, CM, Maharastra
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2023 | 1:57 PM
Share

મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું છે. ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથના નેતાઓ અવાર-નવાર એકબીજા પર આ વાતને લઈને ઉમટી પડે છે કે અસલી શિવસેના કોણ છે. રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એકબીજા પર આરોપ લગાવતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન સીએમ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું કે, તમે વારંવાર મર્દ હોવાની વાત કરો છો, શું કોઈ શંકા છે તમને?

એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, અહીંના લોકોનો પ્રેમ જોઈને પાકિસ્તાન પણ કહેશે કે અસલી શિવસેના કોની છે. તેમના નિવેદન પર શિંદેએ કહ્યું કે જો ઉદ્ધવને અસલી શિવસેના જાણવા માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર લેવું પડે તો આનાથી મોટી દુર્ભાગ્ય શું હોઈ શકે. આનાથી બાળાસાહેબનું હૃદય કેટલું દુખ્યું હશે તે કહેવાની જરૂર નથી.

ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ કરતા શિંદેએ કહ્યું કે તમે મુંબઈમાં હનુમાન ચાલીસા વાંચનારાઓ સામે કેસ કરો છો. જ્યારે, તમે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ કરનારા દાઉદ સાથે જોડાયેલા લોકોની સાથે બેઠા છો. તમે યાકુબ મેમણની કબરને સુશોભિત કરો છો. તમે ખરેખર કહી દીધુ કે, અસલી શિવસેના માટે પાકિસ્તાનનું પ્રમાણપત્ર જરૂરી છે, આનાથી વધુ કમનસીબી બીજી શું હોઈ શકે?

રવિવારે એક રેલીને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે, કેટલાક લોકોએ અમારી સાથે દગો કર્યો. અમે ચૂંટણીમાં ટિકિટ આપી. તેઓ જીત્યા પણ પછીથી તેમણે દગો કર્યો. તેઓ બીજે ક્યાંક જતા રહ્યાં. જો કે આનાથી અમને બહુ ફરક પડતો નથી, જનતાનો પ્રેમ મારી સાથે છે. ઉદ્ધવે દાવો કર્યો કે શિંદે અને ફડણવીસની સરકાર ટૂંક સમયમાં પડી જવાની છે.

હકીકતમાં, એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો અને શિવસેનાના અનેક ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાયા હતા. શિંદેના આ બળવાને કારણે ઉદ્ધવ ઠાકરેની સરકાર પડી. આ સાથે જ શિંદે બીજેપી સાથે ગઠબંધન કરીને રાજ્યના સીએમ બની ગયા છે. ત્યાર બાદ અવારનવાર ઉદ્ધવ ઠાકરે, એકનાથ શિંદે અને ભાજપ ઉપર વાકપ્રહારો કરતા આવ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">