AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની વધી મુશ્કેલી, સીબીઆઈ તપાસ સામે દખલ કરવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર

મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે સીબીઆઈ તપાસ ન્યાયી નથી. અગાઉ આ અરજી બોમ્બે હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની વધી મુશ્કેલી, સીબીઆઈ તપાસ સામે દખલ કરવા સુપ્રીમ કોર્ટનો ઈન્કાર
Supreem Court ( file photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:27 PM
Share

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના (Former Home Minister Anil Deshmukh) કેસમાં, મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટમાંથી (Supreem Court) મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે અનિલ દેશમુખ સામે તપાસ માટે SITની રચના કરવાની મહારાષ્ટ્રની અરજીને ફગાવી દીધી છે. મહારાષ્ટ્ર સરકારનો આરોપ છે કે સીબીઆઈ (CBI) તપાસ ન્યાયી નથી. રાજ્ય સરકારની દલીલ એવી હતી કે સીબીઆઈ ડાયરેક્ટર એસ.કે. જયસ્વાલ, રાજ્યના ડીજીપી (DGP) રહી ચૂક્યા છે. તેથી તેમના નેતૃત્વ હેઠળની તપાસ નિષ્પક્ષ રહી શકે નહીં. અગાઉ આ અરજી બોમ્બે હાઈકોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઈકોર્ટના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો

મહારાષ્ટ્ર સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની તે અરજીને ફગાવી દીધી હતી. જેમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ની તપાસ અને સ્વતંત્ર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચનાના સંદર્ભમાં જાહેર કરાયેલા સમન્સને રદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. આ વર્ષની શરૂઆતમાં દાખલ કરવામાં આવેલી આ અરજીમાં મહારાષ્ટ્ર સરકારે SITની રચના કરવાની વિનંતી કરી હતી.

ભ્રષ્ટાચારના આરોપોની તપાસ

આ અરજીમાં, મહારાષ્ટ્ર સરકારે ભૂતપૂર્વ મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વર્તમાન પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) સંજય પાંડેને કરાયેલા CBI સમન્સને રદ કરવાની પણ વિનંતી કરી હતી. તપાસ એજન્સીએ દેશમુખને તેમના સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે દિલ્હીમાં રિપોર્ટ કરવા માટે બોલાવ્યા હતા. CBI રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા દેશમુખ સામે ગેરવર્તણૂક અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે.

EDએ દેશમુખની ધરપકડ કરી હતી

સીબીઆઈના (CBI) વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અમન લેખીએ ખંભાતાની દલીલોનો વિરોધ કર્યો અને કહ્યું કે એજન્સીની તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી. તેમણે કહ્યું કે દેશમુખની તપાસ જયસ્વાલના કારણે નહીં, પરંતુ 5 એપ્રિલના બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ થઈ રહી છે. દેશમુખે એપ્રિલ 2021માં ગૃહમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. ગયા મહિને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક કેસમાં તેની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચોઃ

મોંઘવારી બગાડી શકે છે તમારા રસોડાનું બજેટ, સરકાર નેચરલ ગેસના ભાવ બમણા કરે તો આંચકો ન અનુભવતા

આ પણ વાંચોઃ

Rules Changing From 1 April 2022 : આજથી બદલાયેલા આ 8 નિયમ તમને સીધી અસર કરશે, જાણો ફેરફાર વિશે અહેવાલ દ્વારા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">