મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા

|

Apr 23, 2022 | 10:26 AM

મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ખાનગી નિવાસસ્થાન 'માતોશ્રી' (Matoshree) ની બહાર હનુમાન ચાલીસાના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana) આક્રમક બન્યા છે.

મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, શિવસૈનિકો થયા આક્રમક, બેરિકેડ તોડીને રાણા દંપતીના બિલ્ડિંગમાં ઘૂસ્યા
Image Credit source: ANI

Follow us on

મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના (CM Uddhav Thackeray) ખાનગી નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાના પાઠનો મામલો ગરમાયો છે. અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને ધારાસભ્ય રવિ રાણા સામે શિવસૈનિકો (Shiv Sena vs Rana) આક્રમક બન્યા છે. રાણા દંપતી માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા મક્કમ છે. તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે તેઓ આજે (23 એપ્રિલ, શનિવાર) સવારે 9 વાગ્યે માતોશ્રીની બહાર જશે અને હનુમાન ચાલીસાનો પાઠ કરશે. તેમણે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે પણ તેમને રોકી શકશે નહીં. શિવસેનાના નેતા વરુણ સરદેસાઈએ કહ્યું હતું કે રાણા દંપતીને માતોશ્રી પર આવીને બતાવે, શિવસૈનિક તેમને મહાપ્રસાદ આપશે.

આજે સવારે, તેઓ મુંબઈમાં ખાર સ્થિત તેમના ઘરેથી બહાર નિકળવા જઈ રહ્યા હતા, ત્યારે મધરાતથી તેમના ઘરની બહાર એકઠા થયેલા શિવસૈનિકોએ પોલીસ દ્વારા લગાવેલા બેરિકેડ્સ તોડી નાખ્યા અને તેમની બિલ્ડિંગમાં પ્રવેશ્યા. તેઓએ જોર જોરથી સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને તેમને ઘરની બહાર નીકળવાની ચેતવણી આપવાનું શરૂ કર્યું. શિવસૈનિકો બૂમો પાડી રહ્યા છે કે માતોશ્રી સુધી પહોંચવાની વાત બહુ દુર છે, ફક્ત તમારી ઇમારતથી નીચે આવો અને પછી જુઓ.

રાણા દંપતી બીજાના ઘરની બહાર કેમ ડ્રામા કરે છે – ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ

અમારી સહયોગી ન્યૂઝ ચેનલ TV9 મરાઠી સાથે વાત કરતા મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે કહ્યું કે રાણા દંપતી તેમના ઘરમાં રહીને હનુમાન ચાલીસાનું પાઠ કેમ નથી કરી રહ્યું? બીજાના ઘરે જઈને હનુમાન ચાલીસા વાંચવાનું નાટક કેમ કરો છો? રાણા દંપતી પાછળ કોઈ અન્ય શક્તિ છે જેઓ બતાવવા માંગે છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરી રહી નથી. રાજ્યની પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સક્ષમ છે.

આજનું રાશિફળ તારીખ : 21-03-2025
Gold Price : ગરીબ પાકિસ્તાનમાં સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ, જાણો કિંમત
છૂટાછેડાના દિવસે યુઝવેન્દ્ર ચહલના ટી-શર્ટ પર કેમ હંગામો?
Vastu Tips : દરેક ઘરમાં તુલસીની પૂજા શા માટે જરૂરી માનવામાં આવે છે?
સ્પોર્ટ્સ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સ વચ્ચે શું તફાવત છે?
શરીરમાં હેપ્પી હોર્મોન્સ વધારવા શું ખાવું?

વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આપી પ્રતિક્રિયા

આ મુદ્દે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મહારાષ્ટ્રમાં સ્પષ્ટ સંકેત આપવામાં આવી રહ્યો છે કે જો કોઈ સરકારના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવશે. તેમનું રાજ્યમાં રહેવું મુશ્કેલ બનશે. થોડાક શિવસૈનિકોને મોકલીને ડરાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તે સફળ થવાનું નથી. અમે જ્યારે બંગાળમાં નથી ડર્યા તો મહારાષ્ટ્રમાં શું ડરશું?

આ પણ વાંચો : Navneet Rana vs Shiv sena : સાંસદ નવનીત રાણાના ઘરની બહાર શીવસૈનિકો એકઠા થયા, હનુમાન ચાલીસાના પાઠને લઈને ચાલી રહ્યો છે વિવાદ

Published On - 10:26 am, Sat, 23 April 22