AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન

મોટાભાગના તેવા લોકોને જ ઓક્સિજન સપોર્ટ અથવા વધારાની સંભાળની જરૂર છે, જેમણે તેમનું રસીકરણ કરાવ્યું નથી. મોટાભાગના લોકો કે જેમને ઓક્સિજન સપોર્ટની જરૂર છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે.

મુંબઈના 96 ટકા એવા દર્દીઓને આપવો પડ્યો ઓક્સિજન, જેમણે નથી કરાવ્યું વેક્સિનેશન, કોરોનાની ઘાતક અસરથી બચાવી રહી છે વેક્સિન
મુંબઈમાં કોરોનાનો કહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 08, 2022 | 6:12 PM
Share

મુંબઈમાં, ઓક્સિજન સપોર્ટ પર 96 ટકા દર્દીઓ એવા છે જેમણે રસીનો (Corona vaccination in mumbai) ડોઝ લીધો ન હતો. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા રજૂ કરાયેલા ડેટા પરથી આ વાત સામે આવી છે. નિષ્ણાંતોનું એવું પણ માનવું છે કે કોરોનાથી સંક્રમિત મોટાભાગના એવા જ લોકોને ઓક્સિજન સપોર્ટ અથવા વધુ કાળજીની જરૂર હોય છે. જેમણે પોતાનું રસીકરણ કરાવ્યું નથી. મોટાભાગના લોકો કે જેમને ઓક્સિજન સપોર્ટની જરૂર છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ છે.

એટલે કે, ઓક્સિજન સપોર્ટ પર રસી લીધા વગરના દર્દીઓની વધુ સંખ્યા સ્પષ્ટપણે દર્શાવે છે કે જેઓએ રસી નથી લીધી તેમને કોરોનાનું જોખમ વધુ છે. મુંબઈમાં વધી રહેલા કોરોના કેસોની તપાસમાં આ ખુલાસાને લઈને BMC કમિશનર ઈકબાલ સિંહ (Iqbal Singh Chahal) ચહલે કહ્યું કે, ‘ઓક્સિજન બેડ પર દાખલ કરાયેલા કોરોના દર્દીઓમાંથી 96 ટકા એવા છે જેમણે રસી લીધી નથી. આમાંથી, માત્ર 4 ટકા જ એવા દર્દીઓ છે જેમણે રસીનો ડોઝ લીધો હતો, તેમ છતાં તેમને ઓક્સિજન સપોર્ટની જરૂર પડી હતી’.

મુંબઈમાં સતત 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે.

મુંબઈમાં સતત 20 હજારથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં મુંબઈમાં લોકડાઉનની આશંકા પર ઈકબાલ સિંહ ચહલે કહ્યું કે, 20 હજાર કોરોના કેસમાંથી માત્ર 1980 લોકોને જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 110 લોકો ઓક્સિજન બેડ પર છે. મુંબઈમાં 35 હજારથી વધુ બેડ ઉપલબ્ધ છે. તેમાંથી 5999 બેડ ભરાઈ ગયા છે. એટલે કે હાલમાં 84 ટકા બેડ ખાલી છે. ઓક્સિજનની માંગ પણ નહિવત્ છે. આવી સ્થિતિમાં હાલ લોકડાઉનની જરૂર નથી.

‘જ્યાં રસીકરણ ઓછું હશે ત્યાં સંક્રમણ વધશે’

મુંબઈની વસ્તી 1 કરોડ 50 લાખ છે. જેમાંથી અત્યાર સુધીમાં 108 ટકા રસીકરણ થઈ ચૂક્યું છે. દક્ષિણ આફ્રિકામાં હાલ કોરોનાની લહેર પાંચ અઠવાડીયામાં કાબુમાં આવી ગઈ હતી. અમે હાલમાં ત્રીજા સપ્તાહમાં છીએ. મને વિશ્વાસ છે કે આગામી 10 દિવસમાં કોરોનાના કેસમાં ઘટાડો થશે. અમે અમારા 108 ટકા રસીકરણને કારણે વર્તમાન સંક્રમણનો સારી રીતે સામનો કરવામાં સક્ષમ છીએ. પરંતુ જ્યાં રસીકરણની ગતિ ઓછી હશે ત્યાં ફેબ્રુઆરી-માર્ચમાં કોરોનાની અસર વધુ જોવા મળશે.

‘મુંબઈમાં રસીકરણ 108 ટકા છે, તેથી ચિંતાજનક સ્થિતિ નથી’

BMC કમિશનરે કહ્યું કે, ‘કોરોના સંક્રમિતોની સંખ્યા હાલ બહુ વધારે મહત્વ રાખતી નથી. સંક્રમિતોની સંખ્યાને બદલે, બેડની ઉપલબ્ધતા, ઓક્સિજનની માંગને નિયંત્રિત કરવી જરૂરી છે. સંક્રમિત લોકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધવા લાગે અને ઓક્સિજનની માંગ વધવા લાગે, તો નિયંત્રણો વધુ કડક કરવાની અથવા લોકડાઉન લાદવાની જરૂરિયાત અનુભવાશે. હાલમાં, લોકો મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ રસીકરણની અસરને કારણે તેઓ ઝડપથી સાજા પણ થઈ રહ્યા છે. તેમને હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર જણાતી નથી. તેથી જ લોકડાઉનનો સમય હજુ આવ્યો નથી.’

આ પણ વાંચો :  Maharashtra : ભાજપના આ ધારાસભ્યને મારી નાખવાની મળી ધમકી, ગૃહ પ્રધાનને પત્ર લખી તપાસની કરી માંગ

Follow Us
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
g clip-path="url(#clip0_868_265)">