IRCTC Tour Package : માતા-પિતાને કરાવો 17 દિવસની રામાયણ યાત્રા, જાણો આ ટૂર પેકેજ વિશે

|

Oct 16, 2024 | 5:49 PM

આઈઆરસીટીસી પ્રવાસીઓ માટે દેશ અને વિદેશ માટે ટુર પેકજ રજુ કરે છે. આ ટુર પેકેજ દ્વારા ટુરિઝમને પ્રોત્સાહન મળે છે અને ટુરિસ્ટ સસ્તામાં યાત્રા કરે છે. હવે આઈઆરસીટીસીએ 17 દિવસનું રામાયણ યાત્રાનું ટુર પેકેજ લોન્ચ કર્યું છે. ચાલો વિગતે જાણીએ.

IRCTC Tour Package :  માતા-પિતાને કરાવો 17 દિવસની રામાયણ યાત્રા, જાણો આ ટૂર પેકેજ વિશે

Follow us on

IRCTCએ યાત્રિકો માટે શ્રી રામાયણ યાત્રા ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ ટુર પેકેજમાં યાત્રિકો ભારત ગૌરવ ડિલેક્સ એસી ટુરિસ્ટ ટ્રેનમાં યાત્રા કરશે. આ ટુર પેકેજની શરુઆત 96,475 રુપિયાથી થાય છે. આઈઆરસીટીસીના આ ટુર પેકેજની શરુઆત દિલ્હીથી થશે. જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છે. તેમજ તમારા પરિવારમાં માતા-પિતાને રામાયણ યાત્રાના ટુર પેકેજમાં મોકલવા માંગો છો. તો તમારે આ પેકેજ દિલ્હીથી બુક કરવાનું રહેશે. એટલે કે, આના માટે તમારે દિલ્હી તમારા ખર્ચે જવાનું રહેશે. દિલ્હીથી તમે આ ટુર પેકેજનો લાભ ઉઠાવી શકશો.

આ ટુર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે

આઈઆરસીટીસીના આ ટુર પેકેજમાં અયોધ્યા, નંદીગ્રામ, જનકપુર, સીતામઢી, બકસર, વારાણસી, પ્રયાગરાજ, શ્રૃંગવેરપુર, ચિત્રકુટ, નાસિક હમ્પી અને રામેશ્વર દર્શન કરી શકશો. આ ટુર પેકેજનું બુકિંગ તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ કરી શકો છો. આ ટુર પેકેજની શરુઆત 28 નવેમ્બરથી શરુ થશે. ટુર પેકેજમાં કુલ 150 સીટ છે. એસી 1 કૂપમાં 20 સીટ છે. એસી 1 કેબિનમાં કુલ 39 સીટ છે. એસી 2માં કુલ 36 સીટ છે અને એસી 3માં કુલ 56 સીટ છે.

Bigg Boss 18 : આ છે 'બિગ બોસ 18'નો સૌથી મોંઘો સ્પર્ધક , જુઓ ફોટો
શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?
7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ

 

 

જો તમે આ ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો તમારે પ્રતિ વ્યક્તિએ એસી કેબિનમાં 162310 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. જો તમે એસીમાં યાત્રા કરવા માંગો છો 2 લોકો સાથે ટિકિટ બુક કરાવવા માંગો છો તો તમારે 146875 રુપિયાનો ચાર્જ ચુકવવાનો રહેશે. તેમજ આ ટુર પેકેજમાં એસી, નોન એસીના અલગ અલગ ચાર્જ છે.આ યાત્રા દેશભરના અનેક રાજ્યોમાંથી પસાર થશે.

માતા પિતાને આ લાંબી યાત્રા કરાવો

IRCTCના આ ટુર પેકેજથી યાત્રિકો ભગવાન રામ અને સીતા માતા સાથે જોડાયેલા તમામ સ્થળોએ દર્શન કરી શકશે. જેની શરુઆત 28 નવેમ્બરથી થશે. તમને જણાવી દઈએ કે, આ ટુર પેકેજ 16 રાત અને 17 દિવસનું છે. જો કોઈ તેમના માતા પિતાને આ લાંબી યાત્રા કરાવવા માંગે છો. તો આ ટુર પેકેજ આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ બુક કરી શકો છો.

Next Article