Term Insurance : શા માટે દરેક વ્યક્તિએ ટર્મ પ્લાન ઇન્સ્યોરન્સ લેવો છે જરૂરી ? અહીં જાણો તેના ફાયદા
જે ઘરમાં કમાણી (Income )કરી રહ્યો છે, એટલે કે જેના પર પરિવારને ચલાવવાની જવાબદારી છે, તેણે પણ ટર્મ પ્લાન લેવો જ પડશે. કારણ કે તેની આવક આખા પરિવારનું ભરણપોષણ થાય છે.
મોંઘવારીના આ સમયમાં બચત અને આર્થિક સલામતી રાખવી ખુબ જ જરૂરી બની ગઈ છે. તેમાં પણ ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે ફાઇનાન્સિયલ પ્લાનર્સ હંમેશા તેમને ટર્મ પ્લાન લેવાની ભલામણ કરે છે. એવું કહી શકાય કે દરેક વ્યક્તિએ નોકરીની શરૂઆત સાથે જ ટર્મ પ્લાન લેવો જોઈએ. ટર્મ પ્લાનના ફાયદાને જોતા તેને જીવન વીમા પોલિસી કહેવામાં આવે છે. એટલા માટે દરેક વ્યક્તિએ પહેલા ટર્મ પ્લાન (ટર્મ ઈન્સ્યોરન્સ) લેવો ખુબ જ જરૂરી છે.
પણ જો પતિ પત્ની બંને નોકરિયાતો હોય તો સવાલ એ ઊભો થાય છે કે પતિ-પત્ની વચ્ચે ટર્મ પ્લાન પહેલા કોણે લેવો જોઈએ કે કોના માટે એ વધુ મહત્ત્વનો સાબિત થઇ શકે છે? જોકે ફાઇનાન્સિયલ પ્લાનર્સનું માનીએ તો નોકરિયાત પતિ પત્ની બંને માટે ટર્મ ઇન્સ્યોરન્સ લેવો ફાયદાકારક સાબિત થઇ શકે છે. અમે આ આર્ટિકલમાં જણાવીશું તે કઈ રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે.
શા માટે ટર્મ ઇન્સ્યોરન્સ પ્લાન દરેક માટે છે જરૂરી ?
નોકરિયાત પતિ પત્ની માટે ટર્મ ઇન્શ્યોરન્સ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ વારંવાર મુસાફરી કરે છે. ફાઇનાન્શિયલ પ્લાનર અનુસાર, જો પતિને કામ અર્થે જો સતત ઘરની બહાર રહેવું પડે છે અથવા તે રોજ ઓફિસે જાય છે, તો તેના માટે ટર્મ પ્લાન વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે રસ્તા પર જવાથી અકસ્માતનો ભય રહે છે. જ્યારે પત્ની ઘરમાં રહે છે, ત્યારે તે પ્રમાણમાં સુરક્ષિત છે. બીજી તરફ જો પત્ની નોકરીમાં હોય તો તેણે પણ પહેલા ટર્મ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ. મહિલાઓ માટે ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખુબ સસ્તો છે.
આ રીતે કરો પ્લાનિંગ
આ સિવાય બીજું કારણ એ છે કે જે ઘરમાં કમાણી કરી રહ્યો છે, એટલે કે જેના પર પરિવારને ચલાવવાની જવાબદારી છે, તેણે પણ ટર્મ પ્લાન લેવો જ પડશે. કારણ કે તેની આવક આખા પરિવારનું ભરણપોષણ થાય છે. આવી સ્થિતિમાં, જો તેમની ખોટ થાય છે ત્યારે, ટર્મ પ્લાન પરિવારની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. એટલું જ નહીં, જો તમારા નામે હોમ લોન છે, તો તમારે તેને સુરક્ષિત કરવા માટે સૌથી પહેલા ટર્મ ઈન્સ્યોરન્સ લેવો જોઈએ.
ટર્મ પ્લાન એ સુનિશ્ચિત કરે છે કે તમારી ગેરહાજરીમાં તમારા પરિવારને ખોરાક, કપડાં, ઘર વગેરેની જરૂર છે. એટલે કે, વીમાધારકના મૃત્યુ પછી પણ પરિવારને એક સામટી રકમ મળે છે. ટર્મ પ્લાન સામાન્ય રીતે 18 થી 70 વર્ષની વય માટે ઉપલબ્ધ હોય છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં 75 વર્ષ સુધીનું કવરેજ ઓફર કરતી ટર્મ પ્લાન પણ ઉપલબ્ધ હોય છે.
નાની ઉંમર ધરાવતા લોકો માટે સારી ટર્મ પ્લાન ઓફરો
ભારતમાં તંદુરસ્ત અરજદારોને ટર્મ વીમા યોજનાઓ ઓફર કરવા માંગે છે. લોકો સામાન્ય રીતે નાની ઉંમરે સ્વસ્થ હોય છે અને આવી સ્થિતિમાં, વીમા આપનાર કંપનીઓ તેમને ઓછા પ્રીમિયમ પર ટર્મ પ્લાન ઓફર કરે છે. જો તમારી ઉંમર 30 વર્ષની આસપાસ છે, તો તમને 8,000 થી 10,000 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર એક કરોડ સુધીનું કવર મળશે. એકવાર તમે ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદો પછી પોલિસીના અંત સુધી પ્રીમિયમમાં કોઈ ફેરફાર થતો નથી.
ટર્મ પ્લાન ખરીદતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન
ટર્મ પ્લાન ખરીદતી વખતે બચત કરવા માટે તમારે કેટલીકે બાબતો ધ્યાનમાં રાખવી ખુબ જ જરૂરી છે. જેમાં સૌથી પહેલી વાત એ છે કે તમારે ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન કોઈ ઈન્સ્યોરન્સ પ્રોવાઈડર પાસેથી સીધો ઓનલાઈન ખરીદવાની ભલામણ કરવામાં આવે છે. તેનાથી તમે બ્રોકરેજ અથવા બ્રોકરના કમિશન પર બચત કરી શકો છો. આવકવેરાની કલમ 80C ટર્મ ઈન્સ્યોરન્સ પર ટેક્સ બચાવવાનો માર્ગ પૂરો પાડે છે. તમે ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદીને 1.50 લાખ સુધીનો ટેક્સ બચાવી શકો છો.