જો તમે તમારી ત્વચાને(Skin ) સુધારવા માંગતા હોવ, ત્વચાની રચનાને સારી રાખવા માંગો છો તો તમારે રાત્રે (Night) સૂતા પહેલા ત્વચાની ખાસ કાળજી લેવી જોઈએ. વાસ્તવમાં, દિવસ(Day ) દરમિયાન, આપણી ત્વચા પ્રદૂષણ, ગંદકી અને સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, આ સિવાય, દિવસ દરમિયાન ક્યાંક બહાર જતી વખતે પણ આપણે દરેક પ્રકારના ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે આપણે રાત્રે ત્વચાને સાફ કરીએ છીએ, ત્યારે ત્વચા પર રહેલી ગંદકી દૂર થઈ જાય છે. તેમજ ત્વચાને તરોતાજા થવાની તક મળે છે. રાત્રિ દરમિયાન ત્વચામાં લોહીનો પ્રવાહ પણ વધે છે, તેથી ત્વચાના કોષો જલ્દી સારા થઈ જાય છે. જો તમે પણ તમારી ત્વચાને સુધારવા માંગો છો તો દરરોજ સૂતા પહેલા, અહીં જણાવેલ 5 પગલાંઓ અનુસરો.
દરરોજ રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને સારી રીતે સાફ કરવી જરૂરી છે. આ તમારી ત્વચાના બંધ છિદ્રો ખોલે છે અને ત્વચાને યોગ્ય રીતે શ્વાસ લેવા દે છે. તેથી દરરોજ રાત્રે સૂતા પહેલા ચહેરાને સ્વચ્છ પાણીથી ધોવો જોઈએ. તેનાથી ત્વચાની અશુદ્ધિઓ દૂર થાય છે. ત્વચાને સાફ કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો. તે તમારી ત્વચાને ચુસ્ત રાખવાનું કામ કરે છે.
રાત્રે સૂતા પહેલા ચહેરા પર હર્બલ ફેસ માસ્ક લગાવો. તે તમારી ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. ઉનાળામાં તમે મુલતાની માટી, કાકડી અથવા ચંદનનો ફેસ માસ્ક લગાવી શકો છો. આ તમારી ત્વચાને હાઈડ્રેટ રાખશે અને સળગેલી ત્વચાને ઠંડક આપવાનું કામ કરશે.
આખો દિવસ કામ કર્યા પછી રાત્રે આંખો થાકી જાય છે. આવી સ્થિતિમાં આંખોની નીચે ડાર્ક સર્કલની સમસ્યા થાય છે. આ કિસ્સામાં આંખોની વિશેષ કાળજી જરૂરી છે. આ માટે રાત્રે સૂતા પહેલા ઉપરથી આઈ ક્રીમ લગાવો અને ડોકટરની સૂચના મુજબ આંખોમાં ટીપાં નાખો. આઈ ક્રીમ આંખોની નીચેની કાળાશ દૂર કરવાની સાથે આસપાસની કરચલીઓ દૂર કરવાનું કામ કરે છે. તે જ સમયે આંખના ટીપાંથી તમારો દિવસભરનો થાક સમાપ્ત થાય છે.
શુષ્ક ત્વચામાં ભેજ પાછો લાવવા માટે રાત્રે સૂતા પહેલા ચહેરા પર નિયમિતપણે મોઈશ્ચરાઈઝર, ક્રીમ અથવા લોશન લગાવો. તેનાથી તમારી ત્વચામાં ભેજ જળવાઈ રહેશે અને તમારા ચહેરા પર ચમક આવશે.
રાત્રે સૂતા પહેલા તમારા વાળમાં માલિશ કરવાથી તમારા વાળ સારા તો બને જ છે સાથે સાથે તમારું મન પણ શાંત થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર તમારા વાળમાં માલિશ કરો. મસાજ કરવાથી તમને સારી ઊંઘ આવે છે અને સારી ઊંઘથી તમારી ત્વચા પણ ચમકે છે.