Diamond Benefits: હિરો શુભ છે કે અશુભ? કઈ રાશિના જાતકોએ ભૂલથી પણ તેને ધારણ ન કરવો જોઈએ-જાણો

જ્યોતિશ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે અને તેના અશુભ પ્રભાવોને ઓછા કરવા માટે પહેરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિને હિરો સૂટ થઈ જાય છે તો તેના જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી જ નથી રહેતી.

Diamond Benefits: હિરો શુભ છે કે અશુભ? કઈ રાશિના જાતકોએ ભૂલથી પણ તેને ધારણ ન કરવો જોઈએ-જાણો
| Updated on: Jun 11, 2026 | 5:43 PM

નવરત્નોમાંથી સૌથી મૂલ્યવાન અને સૌથી કઠોર જો કોઈ રત્ન હોય તો તે હિરો છે. લોકો સામાન્ય રીતે તેને આભૂષણ તરીકે અને કિમતી હોવાના કારણે પહેરવાનું પસંદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હિરો શુક્ર ગ્રહનું રત્ન ગણાય છે. તેને ધારણ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા પ્રાપ્ત થાય છે. તેની લગ્ન જીવન અને લોહી પર પણ સીધી અસર થાય છે. શુક્ર નો લાભ લેવા માટે અને જીવનમાં ગ્લેમર વધારવા માટે આ રત્નને અદ્દભૂત ગણાવાયુ છે. પરંતુ કોઈ જાણકારી વિના કે સલાહ વિના તેને ધારણ કરવાથી જીવનમાં તોફાન આવી શકે છે. પંડિત શૈલેન્દ્ર પાંડે જણાવે છે કે કઈ રાશિઓએ હિરો ન પહેરવો જોઈએ.

હિરો શુભ છે કે અશુભ?

પંડિતના જણાવ્યા અનુસાર મેષ, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો માટે હિરો પહેરવો શુભ નથી ગણાતો. આ ઉપરાંત જે લોકો આદ્યાત્મિક ઉન્નતિ ઈચ્છે છે તેમણે પણ હિરો ધારણ ન કરવો જોઈએ.

જ્યારે વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા માટે હિરો ઘણો શુભ ગણાય છે. સાથે જ કર્ક રાશિના લોકોએ પણ હિરો જરૂર પહેરવો જોઈએ. જે લોકો ગ્લેમર, ફિલ્મ કે મીડિયામાં કામ કરે છે તેમના માટે હિરો લાભદાયક છે.

હિરો ધારણ કરવામાં શું સાવચેતી રાખવી?

  • એવુ કહેવાય છે કે કોઈ પરામર્શ કર્યા વિના, માત્ર ફેશન કે સૌદર્ય માટે હિરો ન પહેરો
  • જો મધુમેહ (ડાયાબિટીસ) કે રક્તની સમસ્યા હોય તો પણ હિરો ધારણ ન કરો
  • 21 વર્ષ પછી અને 50 વર્ષ પહેલા જ હિરો ધારણ કરવો જોઈએ
  • જો દામ્પત્ય જીવનમાં સમસ્યાઓ હોય તો હિરો ધારણ ન કરો
  • હિરો જેટલો સફેદ એટલો જ લાભદાયી
  • કોઈ ડાઘવાળો કે તૂટેલો હિરો અપયશ કે દુર્ઘટનાનું કારણ બની શકે છે

હિરો ગ્લેમર, સૌદર્ય, યશ અને કીર્તિના મામલે લાભદાયી થઈ શકે છે. પ્રેમ અને દામ્પત્ય જીવન બાબતે પણ હિરો લાભદાયી હોય છે. જો હિરો લાભ આપે તો ડાયાબિટીઝમાં પણ લાભ પહોંચાડે છે. હિરાને અંગૂઠામાં કે તર્જની આંગળીમાં ધારણ કરવાથી શુક્રનો દરેક પ્રકારે લાભ મળે છે. અનામિકામાં ધારણ કરવાથી માત્ર પ્રેમ અને સંબંધોમાં લાભ થાય છે.

POK માં શોકસભામાં સામેલ થનારા હજારો લોકો પર મુનીરની સેનાએ વરસાવી અંધાધૂંધ ગોળીઓ, હવે ક્યાં ગયા માનવાધિકારો?- શું અમેરિકા આના પર કંઈ બોલશે?

Follow Us