AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Skin Care : ઉનાળામાં 15 દિવસ સુધી કરો આ ઉપાય, તમારી ત્વચા ચમકવા લાગશે

Skin care in summer:અમે તમને આવા જ કેટલાક ઉપાયો જણાવીશું, જેનું તમારે સતત 15 દિવસ સુધી પાલન કરવું પડશે. જે તમારી ત્વચાને સુધારી શકે છે અને તેના પર વધુ સારી ચમક પણ લાવી શકે છે. ખાસ વાત એ છે કે તેમને અપનાવવું પણ ખૂબ જ સરળ છે.

Summer Skin Care : ઉનાળામાં 15 દિવસ સુધી કરો આ ઉપાય, તમારી ત્વચા ચમકવા લાગશે
Summer Skin Care (symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 12:07 PM
Share

ઉનાળામાં ત્વચા પર જમા થતા પરસેવા અને ગંદકીને કારણે ત્વચા શુષ્ક બની જાય છે. આ સિઝનમાં ત્વચાની સંભાળ ( skin care in summer) માટે વધારાની કાળજીની જરૂર હોય છે, પરંતુ મોટાભાગના લોકો ચહેરા અને હાથની સંભાળ લેવામાં આળસ કરે છે. તેમને લાગે છે કે જો તેઓ ઘરની બહાર નહીં નીકળે તો ત્વચાને શું નુકસાન થશે. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે તડકામાં ન નિકળવા છતા, વાતાવરણમાં હાજર ગરમીને કારણે પણ સનબર્ન થવાની શક્યતા હોતી હોય છે. ચહેરા અને હાથની ત્વચાની સંભાળ રાખવા માટે, તમારે ત્વચાને લગતી નિયમીતતાનું પાલન કરવું જોઈએ. જો કે ત્વચાની સંભાળ ( Skin care routine )માટે બજારમાં ઘણા પ્રકારના મોંઘા ઉત્પાદનો ઉપલબ્ધ છે, પરંતુ તમે ઘરેલું ઉપચારથી તેની કાળજી લઈ શકો છો.

અમે તમને આવા જ કેટલાક ઉપાયો જણાવીશું, જેનું તમારે સતત 15 દિવસ સુધી પાલન કરવું પડશે. તેઓ તમારી ત્વચામાં ઘણા અંશે ફાયદાકારક રહેશે શકે છે અને તેના પર વધુ સારી ચમક પણ લાવી શકે છે. ખાસ વાત એ છે કે તેમને અપનાવવું પણ ખૂબ જ સરળ છે. ચાલો તમને સ્કિન કેર ટિપ્સ વિશે જણાવીએ જે 15 દિવસમાં શ્રેષ્ઠ પરિણામ આપે છે!

ચહેરા પર વિવધ ઓઇલ મસાજ કરો

એવું કહેવાય છે કે માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને ચહેરાની ત્વચામાં પણ આવું જ થાય છે. જો તમે સતત 15 દિવસ સુધી ચહેરા પર મસાજ કરો છો, તો તમે તેનાથી ગ્લોઇંગ સ્કિન મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો વર્જિન કોકોનટ ઓઈલનો ઉપયોગ કરી શકો છો. નિષ્ણાતોના મતે, આમ કરવાથી ત્વચા અંદરથી રિપેર થાય છે અને તેમાં ભેજ જળવાઈ રહે છે. સાથી ત્વચા પણ નરમ બની જાય છે, તેથી પ્રથમ 15 દિવસ સુધી, ચહેરા પર દરરોજ હળવા હાથથી માલિશ કરો.

ચણાનો લોટ અને દહીં પેક

આ બંને ઘટકોમાં આવા ઓક્સિડેન્ટ હોય છે, જે ત્વચાને સ્વસ્થ રાખવા અને તેને ચમકદાર બનાવવામાં અસરકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો આમાંથી બનાવેલ પેકને ચહેરા અને હાથની ત્વચા પર 15 દિવસમાં ત્રણ વખત લગાવી શકો છો. આ માટે એક બાઉલમાં 4 થી 5 ચમચી ચણાનો લોટ લો અને તેમાં ત્રણ ચમચી દહીં ઉમેરો. તમે તેમાં મધ પણ મિક્સ કરી શકો છો. જ્યારે આ પેસ્ટ ચહેરા પર સુકાઈ જાય તો તેને ઠંડા પાણીથી જ કાઢી લો.

પાણી પીવો

વધુ ને વધુ પાણી પીવાથી માત્ર ત્વચાને જ નહીં પરંતુ સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તમારે માત્ર 15 દિવસ સુધી જ નહીં દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ. એવું કહેવાય છે કે જ્યારે શરીરમાં પાણીની માત્રા યોગ્ય હોય છે, ત્યારે લોહી શુદ્ધ થાય છે અને તેના કારણે ચહેરો ચમકવા લાગે છે. નિષ્ણાતોના મતે, આપણે બધાએ દિવસમાં ઓછામાં ઓછું 3 લિટર પાણી પીવું જોઈએ. જો તમે ઈચ્છો તો રોજ નારિયેળ પાણી પણ પી શકો છો.

નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે ટીવી 9 પણ સંમત જ છે તેમ માનવું નહી

આ પણ વાંચો : પ્રમોદ સાવંતે સતત બીજી વાર ગોવાના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ

આ પણ વાંચો : Weird Food: દુકાનદારે બનાવ્યો મેગીનો આઈસ્ક્રીમ રોલ, આ જોઈને લોકોએ આપી આવી પ્રતિક્રિયાઓ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">