‘બદામ રોજ ખાવી જોઈએ, તેનાથી યાદશક્તિ તેજ થાય છે. તમે પણ આ પંચ લાઈન કોઈ ને કોઈ સમયે સાંભળી હશે. ઘણી હદ સુધી આ એકદમ સાચું છે, કારણ કે બદામમાં રહેલા ગુણો ફક્ત તમારા એકંદર શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે, પરંતુ તેનું સેવન મગજ માટે પણ ફાયદાકારક છે.
બદામમાં કેલ્શિયમ અને ઓમેગા 3 ભરપૂર માત્રામાં જોવા મળે છે, તેમાં ફાઈબર, પ્રોટીન, મેગ્નેશિયમ, રાઈબોફ્લેવિન, વિટામિન ઈ જેવા ઘણા પોષક તત્વો પણ હોય છે, પરંતુ નકલી બદામ પણ બજારમાં આવી રહી છે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
દરરોજ સવારે પલાળેલી બદામ ખાવાથી માત્ર એનર્જી જ નથી મળતી, પરંતુ હૃદય, મગજ, ત્વચા, વાળ અને હાડકાંને પણ ફાયદો થાય છે, જો કે નકલી બદામ ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે છે. તો ચાલો જાણીએ કે નકલી અને અસલી બદામ કેવી રીતે ઓળખવી.
જો તમે બજારમાં બદામ ખરીદવા જઈ રહ્યા છો, તો તેના રંગ પર ધ્યાન આપો. જો તમને સામાન્ય કરતા ઘાટો રંગ લાગે તો તેને ટીશ્યુ પેપરમાં ઘસો. નકલી બદામ રંગ છોડવા લાગે છે.
બદામ માત્ર ફાયદાકારક નથી, તેના તેલનો ઉપયોગ ખાવાથી લઈને ત્વચાની સંભાળ સુધી દરેક વસ્તુમાં થાય છે. આ તપાસવા માટે એક બદામને તોડીને તેને તમારા હાથ પર ઘસો. અસલી બદામ તમારા હાથ પર તેલ છોડી દે છે. આનાથી એ પણ ખબર પડે છે કે બદામ બહુ જૂની નથી અને તેનું તેલ પણ સુકાયું નથી.
જો તમે બદામ ખરીદતા હોવ તો દુકાનદાર પાસેથી બે-ચાર બદામ લઈ તેનો સ્વાદ ચાખી શકો છો. તેનો સ્વાદ તમને સાચી અને નકલી ઓળખવામાં મદદ કરી શકે છે. જો કે આ ટ્રીકમાં શક્ય છે કે ભેળસેળવાળી બદામ મળી આવે. કારણ કે કેટલીક બદામ સારી ગુણવત્તાની હોઈ શકે છે અને કેટલીક નબળી ગુણવત્તાની હોઈ શકે છે.
બદામને પાણીમાં પલાળીને બાઉલમાંથી બહાર કાઢ્યા બાદ ચેક કરો કે પાણીનો રંગ બદલાયો છે કે નહીં. જો બદામની છાલનો રંગ પાણીમાં લાગી ગયો હોય, તો શક્ય છે કે તેના પર સિન્થેટિક રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. જ્યારે વાસ્તવિક બદામ ખૂબ સારી રીતે ફૂલે છે.