આંખોની(Eyes ) નીચે ડાર્ક સર્કલ એ નિસ્તેજ અને નિર્જીવ ત્વચાની (Skin )નિશાની છે. યોગ્ય ઊંઘ ન આવવી, સ્ક્રીન પર વધુ સમય વિતાવવો અને ખોટું ખાવું એ અવ્યવસ્થિત જીવનશૈલી(Lifestyle )સૂચવે છે. આ ખરાબ જીવનશૈલીની અસર આપણી ત્વચા પર ડાર્ક સર્કલના રૂપમાં જોવા મળે છે. એકવાર આંખોની ત્વચાની આસપાસ કાળાશ આવી જાય પછી તેને દૂર કરવી સરળ નથી. જો કે બજાર તેમને દૂર કરવા માટેના ઉત્પાદનોથી ભરેલું છે, પરંતુ ઘરેલું ઉપચારથી પણ રાહત મેળવી શકાય છે.
ખાસ વાત એ છે કે બોલિવૂડ સ્ટાર્સ પણ હવે ત્વચાની સંભાળ માટે ઘરેલું ઉપાયો પર આધાર રાખે છે. અભિનેત્રી જુહી પરમારે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે કેવી રીતે ડાર્ક સર્કલ ઓછા અથવા દૂર કરી શકાય છે.
તેણે કહ્યું કે જો તમને સોજા, થાક અને ડાર્ક સર્કલની સમસ્યા હોય તો તમારે દૂધ અને ગુલાબજળના ઘરેલું ઉપાય અપનાવવા જોઈએ. તેણે વીડિયોમાં કહ્યું કે એક બાઉલમાં દૂધ લો અને તેમાં થોડું ગુલાબજળ નાખો. તેમાં એલોવેરા જેલ પણ ઉમેરો. આ પેસ્ટને સારી રીતે મિક્સ કરો અને 20 મિનિટ માટે રહેવા દો. હવે આ પેસ્ટમાં કોટન બોલ્સને પલાળી દો અને તેને આંખો પર છોડી દો. જુહીના જણાવ્યા અનુસાર, આ રેસીપી તમને તરત જ રાહત આપશે અને તેનાથી ડાર્ક સર્કલ પણ દૂર થશે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)