ભારતમાં ડુંગળીની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકાર એવો દાવો કરી રહી છે કે ડુંગળીનો પૂરતો જથ્થો છે અને ભારતમાં કોઈ ડુંગળીની અછત સર્જાવાની નથી.
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ભારતની મુલાકાત પર છે. તેઓએ એક કાર્યક્રમમાં ડુંગળીને લઈને પોતાના મનની વાત કરી દીધી. તેઓએ કહ્યું ડુંગળીના લીધે અમારે પરેશાની થઈ છે. મને ખબર નથી કે તમે કેમ ડુંગળી બંધ કરી દીધી? મેં પોતાના રસોઈયાને કહી દીધું કે હવેથી જમવામાં ડુંગળી બંધ કરી દો.
આ પણ વાંચો : દાદીએ જુસ્સા સાથે કર્યા ગરબા, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ
આમ ખુદ બાંગ્લાદેશના પીએમ ભારત દ્વારા ડુંગળીના નિકાસ પર પ્રતિબંધથી થોડા નારાજ જોવા મળ્યા હતા. તેઓએ કહ્યું કે ભારત આવા નિર્ણયો પહેલાં જાણ કરીને લે જેથી અમે વ્યવસ્થા કરી શકીએ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]