સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના મંદિરનો વિવાદ, ગ્રામજનો સાથે સહમતિ સધાતા મંદિર બહાર ખસેડાશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના લાલબાઈ માતાના મંદિરને ખસેડવાનો વર્ષો જૂનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે.મંદિરના માલિક, ભીમપોર ગામના રહીશો અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સહમતી સધાતા આખરે હવે આગામી દિવસોમાં આ મંદિરને એરપોર્ટના રિસ્ટ્રીકટેડ એરિયાથી બહાર ખસેડવામાં આવશે. જેથી ગ્રામજનો હવે લાલબાઈ માતાના પૂજા અર્ચના પણ સારી રીતે કરી શકશે. […]
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના લાલબાઈ માતાના મંદિરને ખસેડવાનો વર્ષો જૂનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે.મંદિરના માલિક, ભીમપોર ગામના રહીશો અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સહમતી સધાતા આખરે હવે આગામી દિવસોમાં આ મંદિરને એરપોર્ટના રિસ્ટ્રીકટેડ એરિયાથી બહાર ખસેડવામાં આવશે. જેથી ગ્રામજનો હવે લાલબાઈ માતાના પૂજા અર્ચના પણ સારી રીતે કરી શકશે.
આ પહેલાં એરપોર્ટ ઓથોરિટી અને મંદિરના માલિક તેમજ ગ્રામજનો વચ્ચે આ મંદિરને ખસેડવાનો વિવાદ વર્ષોથી ચાલતો આવતો હતો. સુરત એરપોર્ટ પર પેરેરલ ટેક્સી ટ્રેકની યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે નડતરરૂપ સો વર્ષ જૂનું લાલબાઈ માતાનું મંદિર ખસેડવાની નોબત આવી જતાં વિવાદ ઉભો થયો હતો.
આ પહેલા હાલ જે મંદિર છે ત્યાં તે પહેલા એક ટ્રેક બનાવીને એપ્રન સાથે જોડી દેવામાં આવ્યો હતો. જેથી મંદિર પણ ખસેડવું ન પડે કે તોડવું ન પડે. આ પ્લાનને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો. જેમણે ફ્લાઈટની વિંગ મંદિર સાથે નડતી હોવાની ખામી કાઢી હતી.
જોકે નવા આવેલા ડિરેક્ટરે આ મંદિર ખસેડવાની તજવીજ હાથ ધરતા મંદિર ખસેડવાનું ટેન્ડર હાથ ધર્યું છે. એરપોર્ટ ના ડિરેક્ટરનું કહેવું છે તેમણે મંદિર ના માલિક, ભીમપોર ગામના રહેવાસીઓ અને ધારાસભ્ય સહિતના સાથે બેઠક કરી છે. અને તેમની મંજૂરી પછી જ આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટના ઓપરેશનલ એરિયાની બહાર 10 લાખના ખર્ચે લાલબાઈ માતાનું બીજું મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિરને પૂજા અને ધાર્મિક પ્રક્રિયા કર્યા બાદ જ ખસેડવામાં આવશે.
સ્થાનિકોનું પણ કહેવું છે કે સરકારે તેમની જમીન લીધી છે અને તેના બદલામાં નાણાં કે જમીન પણ આપી નથી. જો કે આ મામલે વાટાઘાટ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.મંદિર પાછળની ધાર્મિક માન્યતા એવી રહેલી છે કે આજથી 135 વર્ષ પહેલાં સુરત એરપોર્ટની પાંત્રીસ વીઘા જમીન ચીમકા મકન પટેલ નામના ખેડૂતને ખેતર ખેડતા આ લાલ પથ્થર મળી આવ્યો હતો. જેમાં માતાજીનો આકાર દેખાતા તેમણે એક નાનું મંદિર બાંધીને આ મૂર્તિની સ્થાપના કરી હતી. બે વર્ષ પહેલાં મંદિરમાં પૂજાની પરવાનગી ન મળતા સ્થાનિકોએ એરપોર્ટ પર જ ગરબા રમીને વિરોધ પણ દર્શાવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો