સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના મંદિરનો વિવાદ, ગ્રામજનો સાથે સહમતિ સધાતા મંદિર બહાર ખસેડાશે

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના લાલબાઈ માતાના મંદિરને ખસેડવાનો વર્ષો જૂનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે.મંદિરના માલિક, ભીમપોર ગામના રહીશો અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સહમતી સધાતા આખરે હવે આગામી દિવસોમાં આ મંદિરને એરપોર્ટના રિસ્ટ્રીકટેડ એરિયાથી બહાર ખસેડવામાં આવશે. જેથી ગ્રામજનો હવે લાલબાઈ માતાના પૂજા અર્ચના પણ સારી રીતે કરી શકશે. […]

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના મંદિરનો વિવાદ, ગ્રામજનો સાથે સહમતિ સધાતા મંદિર બહાર ખસેડાશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 19, 2021 | 1:03 PM

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના ઓપરેશનલ એરીયાની અંદર આવેલા 100 વર્ષ જૂના લાલબાઈ માતાના મંદિરને ખસેડવાનો વર્ષો જૂનો વિવાદ આખરે ઉકેલાઈ ગયો છે.મંદિરના માલિક, ભીમપોર ગામના રહીશો અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે સહમતી સધાતા આખરે હવે આગામી દિવસોમાં આ મંદિરને એરપોર્ટના રિસ્ટ્રીકટેડ એરિયાથી બહાર ખસેડવામાં આવશે. જેથી ગ્રામજનો હવે લાલબાઈ માતાના પૂજા અર્ચના પણ સારી રીતે કરી શકશે.

  

આ પહેલાં એરપોર્ટ ઓથોરિટી અને મંદિરના માલિક તેમજ ગ્રામજનો વચ્ચે આ મંદિરને ખસેડવાનો વિવાદ વર્ષોથી ચાલતો આવતો હતો. સુરત એરપોર્ટ પર પેરેરલ ટેક્સી ટ્રેકની યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે નડતરરૂપ સો વર્ષ જૂનું લાલબાઈ માતાનું મંદિર ખસેડવાની નોબત આવી જતાં વિવાદ ઉભો થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પહેલા હાલ જે મંદિર છે ત્યાં તે પહેલા એક ટ્રેક બનાવીને એપ્રન સાથે જોડી દેવામાં આવ્યો હતો. જેથી મંદિર પણ ખસેડવું ન પડે કે તોડવું ન પડે. આ પ્લાનને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનમાં પણ મોકલી આપવામાં આવ્યો હતો. જેમણે ફ્લાઈટની વિંગ મંદિર સાથે નડતી હોવાની ખામી કાઢી હતી.

જોકે નવા આવેલા ડિરેક્ટરે આ મંદિર ખસેડવાની તજવીજ હાથ ધરતા મંદિર ખસેડવાનું ટેન્ડર હાથ ધર્યું છે. એરપોર્ટ ના ડિરેક્ટરનું કહેવું છે તેમણે મંદિર ના માલિક, ભીમપોર ગામના રહેવાસીઓ અને ધારાસભ્ય સહિતના સાથે બેઠક કરી છે. અને તેમની મંજૂરી પછી જ આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. એરપોર્ટના ઓપરેશનલ એરિયાની બહાર 10 લાખના ખર્ચે લાલબાઈ માતાનું બીજું મંદિરનું નિર્માણ કરવામાં આવશે. આ મંદિરને પૂજા અને ધાર્મિક પ્રક્રિયા કર્યા બાદ જ ખસેડવામાં આવશે.

surat-international-airport-na-operational-area-ni-andar-na-mandir-no-vivad-purn-lalbai-mandir-have-bahar-khasedashe

સ્થાનિકોનું પણ કહેવું છે કે સરકારે તેમની જમીન લીધી છે અને તેના બદલામાં નાણાં કે જમીન પણ આપી નથી. જો કે આ મામલે વાટાઘાટ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.મંદિર પાછળની ધાર્મિક માન્યતા એવી રહેલી છે કે આજથી 135 વર્ષ પહેલાં સુરત એરપોર્ટની પાંત્રીસ વીઘા જમીન ચીમકા મકન પટેલ નામના ખેડૂતને ખેતર ખેડતા આ લાલ પથ્થર મળી આવ્યો હતો. જેમાં માતાજીનો આકાર દેખાતા તેમણે એક નાનું મંદિર બાંધીને આ મૂર્તિની સ્થાપના કરી હતી. બે વર્ષ પહેલાં મંદિરમાં પૂજાની પરવાનગી ન મળતા સ્થાનિકોએ એરપોર્ટ પર જ ગરબા રમીને વિરોધ પણ દર્શાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">