જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી હિંસા અંગે 208 જેટલા યુનિવર્સિટીના શિક્ષકો અને કુલપતિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડાબેરી કાર્યકર્તાઓએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનો માહોલ ખરાબ કર્યો છે. આ પત્રનું શીર્ષક ‘લેફ્ટ સંગઠનોની અરાજકતા વિરુદ્ધ નિવેદન’છે. આ પણ વાંચોઃ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ CAA મુદ્દે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, વિપક્ષ પર […]
Follow us on
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી હિંસા અંગે 208 જેટલા યુનિવર્સિટીના શિક્ષકો અને કુલપતિઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો. આ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડાબેરી કાર્યકર્તાઓએ દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનો માહોલ ખરાબ કર્યો છે. આ પત્રનું શીર્ષક ‘લેફ્ટ સંગઠનોની અરાજકતા વિરુદ્ધ નિવેદન’છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
શિક્ષકો ઉપરાંત પત્ર લખનારાઓમાં હરિ સિંહ ગૌર યુનિવર્સિટીના કુલપતિ આરપી તિવારી, દક્ષિણ બિહારની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ એચસીએસ રાઠોડ, સરદાર પટેલ યુનિવર્સિટીના વીસી શિરીષ કુલકર્ણી પણ સામેલ પત્રમાં શિક્ષકોએ લખ્યું કે, અમે નિરાશા સાથે અનુભવી રહ્યા છીએ કે વિદ્યાર્થી રાજકારણના નામે નુકસાન પહોંચાડનારા લેફ્ટનો એજન્ડા કામ કરી રહ્યો છે. તાજેતરમાં જ JNUમાં જામિયા, AMUથી જાદવપુર સુધીનો ઘટનાક્રમ અમને ચેતવણી આપી રહ્યો છે કે લેફ્ટ વિંગના એક્ટિવિસ્ટ શિક્ષણનો માહોલ બગાડી રહ્યા છે.