21 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યું છે વિધાનસભાનું ચોમાસું સત્ર, ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કરાવવો ફરજિયાત
21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ જવા થઇ રહ્યું છે, ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સત્ર દરમિયાન ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર હોય તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત વિધાનસભામાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં ફરજ પરના પોલીસ સ્ટાફ […]
21 સપ્ટેમ્બરથી વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ જવા થઇ રહ્યું છે, ત્યારે વિધાનસભાની બેઠક વ્યવસ્થા સહિત અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. આ સત્ર દરમિયાન ધારાસભ્યોને રેપીડ એન્ટિજન ટેસ્ટ કર્યા પછી કે કોરોના નેગેટિવ પ્રમાણપત્ર હોય તો જ પ્રવેશ મળશે. આ ઉપરાંત વિધાનસભામાં થર્મલ સ્ક્રિનીંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા રાખવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભામાં ફરજ પરના પોલીસ સ્ટાફ સહિત પરિસરમાં આવતા તમામ પત્રકારોના પણ રેપીડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત છે. આ સત્ર દરમિયાન એક સમયે 25 પત્રકારોને પ્રવેશ આપવામાં આવશે. ધારાસભ્યોના પી.એ., ડ્રાઇવર કે અન્ય કોઇ પણ લોકોને પ્રવેશ આપવામાં નહીં આવે.
આ પણ વાંચો: હૈદરાબાદ ટાસ્ક ફોર્સ પોલીસે રૂ.3 કરોડ 75 લાખનું હવાલા રેકેટ ઝડપ્યું, ગુજરાતના 4 શખ્સોની કરી ધરપકડ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો