રાફેલ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં રાહુલે પોતાનું સ્પષ્ટીકરણ આપ્યું છે. જેમાં રાહુલ ગાંધીએ સ્વીકાર્યું કે સુપ્રીમ કોર્ટે ચોકીદાર ચોર છે તેવું કોઈ જ નિવેદન આપ્યું નહોતું. વધુમાં તેમણે પોતાના જવાબમાં જણાવ્યું કે ચૂંટણી પ્રચાર વખતે તેમના મોઢામાંથી આ નિવેદન ઉત્સુકતાના કારણે નીકળી ગયું હતું.
આ પણ વાંચો: મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ ગેરેજમાં રહીને માત્ર રોટલી અને પાણી પર પસાર કર્યા છે દિવસો!
રાહુલ ગાંધીએ કોર્ટમાં બાહેંધરી આપી છે કે તે પોતાના રાજકીય ભાષણમાં કોર્ટને ટાંકીને કોઈ જ વિચાર, ટિપ્પણી અને અહેવાલ વિશે વાત નહીં કરે જ્યાં સુધી કોર્ટે તેને રેકોર્ડ ના કર્યું હોય. આ મામલે સુપ્રીમ કોર્ટ વધુ સુનાવણી કાલે કરશે. આ મુ્દે ભાજપના એક નેતાએ જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને તેને લઈને રાહુલ ગાંધીને આ બાબતે જવાબ આપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.
રાહુલ ગાંધીએ પોતાના લોકસભા મત-વિસ્તાર અમેઠીમાં કહ્યું હતું કે હું સુપ્રીમ કોર્ટને ધન્યવાદ આપવા માગું છું. આખો દેશ કહી રહ્યો છે કે ચોકીદાર ચોર છે. આ ઉત્સવનો દિવસ છે કે કારણ કે ચોકીદારે ચોરી કરી છે. આમ રાહુલ ગાંધીએ આ વિવાદને લઈને મામલો સુપ્રીમ કોર્ટમાં જતા બાહંધરી સાથે માફી માગવી પડી હતી.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 12:00 pm, Mon, 22 April 19