નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

|

Jun 07, 2019 | 6:42 AM

દેશ અને દુનિયાના સોશિયલ મીડિયામાં જ્યારે એક માત્ર PM મોદીનું નામ આવતું હતું તો તેની પાછળ PKનું નામ લેવામાં આવે છે. PK એટલે પ્રશાંત કિશોર કે જેને રાજનીતિકાર પણ કહેવામાં આવે છે. પ્રશાંત કિશોર રાજનૈતિક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારના અભિયાન માટે કામ કરે છે. પ્રશાંત કિશોરે સૌ પ્રથમ નરેન્દ્ર મોદી માટે ગુજરાત અને પછી કેન્દ્રમાં […]

નરેન્દ્ર મોદી, જગન મોહન રેડ્ડી અને હવે ભાજપ વિરુદ્ધ આ વ્યક્તિ માટે ચૂંટણી પ્રચાર કરશે પ્રશાંત કિશોર

Follow us on

દેશ અને દુનિયાના સોશિયલ મીડિયામાં જ્યારે એક માત્ર PM મોદીનું નામ આવતું હતું તો તેની પાછળ PKનું નામ લેવામાં આવે છે. PK એટલે પ્રશાંત કિશોર કે જેને રાજનીતિકાર પણ કહેવામાં આવે છે. પ્રશાંત કિશોર રાજનૈતિક પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચારના અભિયાન માટે કામ કરે છે. પ્રશાંત કિશોરે સૌ પ્રથમ નરેન્દ્ર મોદી માટે ગુજરાત અને પછી કેન્દ્રમાં લોકસભાની ચૂંટણી પ્રચારની કામગીરી સંભાળી હતી.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચોઃ ભૂમાફિયાઓ આવી રીતે 90 લાખ રૂપિયાનું મકાન 20 લાખમાં પડાવી લેવાની ઘટના બાદ ક્રાઈમબ્રાંચના દરોડા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

તો હાલમાં જ પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડી માટે પ્રચારની કામગીરી કરી હતી. જેનું પરિણામ આવ્યું કે ચંદ્રબાબુની સરકારને જવું પડ્યું અને આંધ્ર પ્રદેશની વિધાનસભા અને લોકસભા બંનેમાં YSR કોંગ્રેસની જંગી જીત થઈ હતી. તો પ્રશાંત કિશોર હવે પશ્ચિમ બંગાળ તરફ આગળ વધશે તેવા સમાચાર આવી રહ્યા છે. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે પ્રશાંત કિશોરે બેઠક યોજી હતી.

જે બાદ સામે આવી રહ્યું છે કે કિશોર બંગાળમાં આગામી ચૂંટણી દરમિયાન મમતા દી સાથે કામ કરી શકે છે. મહત્વનું છે કે કિશોર અને મમતા બેનર્જી વચ્ચે 2 કલાક લાંબી બેઠક યોજાઈ હતી. તો સાથે બંગાળમાં ભાજપને લોકસભાની 18 બેઠક પર જીત મળ્યા બાદ તૂણમૂલ કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણીમાં આરપારનો જંગ ઉભો થઈ શકે છે. લોકસભામાં 18 બેઠક મળ્યા બાદ ભાજપની નજર બંગાળના મુખ્યમંત્રીની ખુરશી પર છે. ત્યારે સ્વાભાવીક છે કે પોતાના પ્રચારને વધારવા અને પોતાની ખુરશી બચાવવા માટે મમતા બેનર્જીએ લોકચાહના મેળવવામાં પોતાને મજબૂત બનાવવા પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 12:44 pm, Thu, 6 June 19

Next Article