ગુજરાતના રાજકોટ જિલ્લામાં સમઢિયાણા ગામ આવેલું છે. આ ગામના લોકો જાગૃત છે અને તેના લીધે અહીં કોઈપણ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવાની મનાઈ છે. ચૂંટણી પ્રચાર વિના અહીંયા એવી રીતે લોકો જાગૃત થઈને કાર્ય કરે છે કે કોઈપણ ગામનો વ્યક્તિ મતદાન કર્યા વગરનો ન રહી જાય.
આ પણ વાંચો: કોંગ્રેસ-AAPની ગઠબંધનની વાતો વચ્ચે ભાજપે દિલ્હીની 4 બેઠક માટે કરી ઉમેદવારની જાહેરાત
આ ગામમાં એક નિયમ બનાવવામાં આવ્યો છે અને તેને લઈને એક દંડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ ગામના સંરપંચ અશોકભાઈ જણાવે છે કે અમારા ગામના પૂર્વ સરપંચે ગામમાં કોઈ પ્રચાર નહીં થાય તેવો નિયમ બનાવ્યો હતો. કારણ કે આ ગામમાં એવું માનવામાં આવે છે કે પ્રચારના લીધે ગામનું સામાજિક વાતાવરણ બગડે છે.
ગામમાં એવી કોશિશ કરવામાં આવે છે કે દરેક વ્ચક્તિ મતદાન કરી શકે છે પણ એવા લોકો જે ગામ છોડીને બહાર જતા રહ્યાં હોય, મૃત્યુ પામ્યા હોય કે ગામની છોકરીઓ જેમના લગ્ન અન્ય જગ્યાએ થઈ ગયા હોવાથી 100 ટકા મતદાન શક્ય થતું નથી. આ બધાની વચ્ચે મતદાનનો આંકડો 95થી 96 ટકા જેટલો હોય છે. જે લોકો મતદાન ન કરે તેમને 51 રુપિયા જેટલા દંડની જોગવાઈ પણ ગામ લોકો દ્વારા જ કરવામાં આવી છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 4:46 pm, Sun, 21 April 19