પુલવામામાં અને ઉરી પર યોજાયેલી બેઠકથી કેમ અલગ છે ભારત-ચીન વિવાદની સર્વદલીય બેઠક?

|

Sep 28, 2020 | 2:34 PM

ચીનના હુમલામાં ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ મોદી સરકાર પાસેથી વિપક્ષ જવાબ માગી રહ્યો છે ત્યારે મોદી સરકારે 19 જૂનના રોજ સર્વદલીય બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

પુલવામામાં અને ઉરી પર યોજાયેલી બેઠકથી કેમ અલગ છે ભારત-ચીન વિવાદની સર્વદલીય બેઠક?

Follow us on

ચીનના હુમલામાં ગલવાન ઘાટીમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા છે. આ ઘટના બાદ મોદી સરકાર પાસેથી વિપક્ષ જવાબ માગી રહ્યો છે ત્યારે મોદી સરકારે 19 જૂનના રોજ સર્વદલીય બેઠક બોલાવી છે. સાંજે 5 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ વાંચો :  ભારત ચીન વિવાદ વચ્ચે જાણો કે ‘મેડ ઈન ઈન્ડિયા’ અને ‘અસેમ્બલ્ડ ઈન ઈન્ડિયા’માં શું ફરક હોય છે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વડાપ્રધાન મોદીએ એવા સમયે આ બેઠક બોલાવી છે જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત તમામ પ્રમુખ વિપક્ષી દળ સરકારને ચીનને લઈને જે સ્થિતિ છે તેની જાણકારી આપવા માટે કહીં રહ્યાં છે. વિપક્ષ સરકારની પાસે માગણી કરી રહ્યું છે તમામ વિગત દેશની સામે રાખવામાં આવે અને તેમને ભરોસામાં લેવામાં આવે. આ બેઠકમાં પીએમ મોદી વિપક્ષના સવાલના જવાબ આપી શકે છે જેના લીધે ચીનના મુદે કોઈને ભ્રમ ના રહે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેમ છે આ બેઠક અન્ય બેઠક કરતાં અલગ


ચીનની ઘટના પહેલી નથી કે સર્વદલીય બેઠક મોદી સરકારે બોલાવી હોય. આ પહેલાં પણ બેઠક બોલાવવામાં આવી છે. છેલ્લાં 4 વર્ષમાં ત્રીજી વખત આ સર્વદલીય બેઠક દેશની સીમાની સુરક્ષાને લઈને યોજાવા જઈ રહી છે. પુલવામાં આતંકી હુમલો થયો અને ઉરી હુમલો થયો ત્યારે પણ ભાજપની સરકારે સર્વદલીય બેઠક બોલાવી હતી. જો કે તે વખતે આ બેઠકની આગેવાની ગૃહપ્રધાન રાજનાથસિંહે કરી હતી. 19 જૂનના રોજ ચીનના વિવાદને લઈને જે સર્વદલીય બેઠક બોલાવવામાં આવી છે તેમાં પીએમ મોદી પોતે જ સંબોધન કરશે. આમ આ બેઠકની કમાન પીએમ મોદી પોતે જ સંભાળશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:39 pm, Wed, 17 June 20

Next Article