Pervez Musharraf Death : પરવેઝ મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા, જાણો શું છે આ બીમારી

|

Feb 05, 2023 | 1:56 PM

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે દુબઈમાં નિધન થયું છે. તેઓ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડિત હતા. આવો જાણીએ શું છે આ બીમારી.

Pervez Musharraf Death : પરવેઝ મુશર્રફ એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા, જાણો શું છે આ બીમારી
Pervez Musharraf Death ( file photo)
Image Credit source: Social Media

Follow us on

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું દુબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. પાકિસ્તાનના મીડિયાને ટાંકીને આ સમાચાર આપવામાં આવ્યા છે. મુશર્રફ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. દુબઈની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરવેઝ મુશર્રફે 79 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. પરવેઝ મુશર્રફ લાંબા સમયથી એમાયલોઇડિસ રોગથી પીડાતા હતા. આ રોગ શું છે. તેના લક્ષણો શું છે. તેની સારવાર કેવી રીતે કરી શકાય? આવો આ વિશે બધું જાણીએ.

એમાયલોઇડિસ રોગ શું છે

આ રોગ દરમિયાન શરીરમાં પ્રોટીન એકઠું થાય છે. આ એક ગંભીર રોગ છે. આ રોગ દરમિયાન શરીરના અંગો ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. એક સંશોધન મુજબ, આ રોગ શરીરમાં એમાયલોઇડ પ્રોટીનના વધારાથી થાય છે. આ રોગ શરીરના એક અથવા એક સાથે ઘણા અવયવોને અસર કરી શકે છે. આ રોગને કારણે, એમીલોઇડ પ્રોટીન શરીરના કોઈપણ ભાગમાં, જેમ કે કિડની, હૃદય અથવા લીવર વગેરેમાં જમા થવા લાગે છે. જેના કારણે શરીરના અંગો કામ કરવાનું બંધ કરી દે છે. આ રોગ આનુવંશિક હોવાને કારણે કે અન્ય કોઈ કારણથી પણ થઈ શકે છે.

એમાયલોઇડિસ રોગના લક્ષણો

શરીરનો સોજો રહેવો

ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી
કેટરિનાએ પતિ વિકીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ ફોટો
લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ

નબળાઈ અનુભવવી

થાક લાગવો

વજનમાં ઘટાડો થવો

હાંફ ચઢવો

ત્વચાના રંગમાં ફેરફાર થવો

ઇજાને કારણે રક્તસ્રાવ થતો રહેવો

આંખોની આસપાસ ફોલ્લીઓ દેખાય

માયલોઇડિસિસને કેવી રીતે અટકાવવું

આ રોગની સારવાર કરતા પહેલા, ડૉક્ટર સાથે સારી રીતે તપાસ કરાવો. આ રોગની સારવાર દર્દીના શરીર પર તેની અસરના આધારે કરવામાં આવે છે. આ રોગ દરમિયાન, પ્રથમ ઇમેજિંગ પરીક્ષણ કરવામાં આવે છે. આ સાથે અન્ય ઘણા ટેસ્ટ કરવામાં આવે છે. આ પછી દર્દીની સારવાર શરૂ કરવામાં આવે છે. જો આ રોગ દરમિયાન દર્દીની સ્થિતિ વધુ બગડે તો કીમોથેરાપી અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનો પણ ઉપયોગ કરી શકાય છે. આ એક ગંભીર રોગ છે. જો આ રોગના લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો. સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો. આ રોગની ઘરે સારવાર કરવાને બદલે અથવા તેના લક્ષણોને અવગણવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. અને સારવાર શરુ કરાવવી જોઈએ.

Published On - 12:54 pm, Sun, 5 February 23

Next Article