અમદાવાદીઓ હવે હાથ ન મિલાવતા પણ નમસ્તે કરજો. આ અપીલ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કરી છે. કોરોના વાઈરસથી બચવા કોર્પોરેશને નમસ્તે અભિયાન શરૂ કર્યું છે. જે પ્રમાણે કોઈનું પણ અભિવાદન કરવા હાથ ન મિલાવવો.
અને નમસ્તે કરવું જેનાથી કોઈ બીજાને કોરોનાની અસર હોય તો આગળ ફેલાય નહીં. મહત્વનું છે કે ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોના વાઈરસના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેવામાં અમદાવાદ કોર્પોરેશન કોરોનાને પહોંચી વળવા સજ્જ છે. મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી લોકોની તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં ઓઈસોલેશન વોર્ડ ઉભો કરાયો છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો