શિખર ધવને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોની ક્યારે લેશે ક્રિકેટમાંથી સન્યાસનો નિર્ણય!
ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું છે કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમય આવશે ત્યારે નિવૃત્ત થઈ જશે. ધવને કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને તે જ રીતે તે સમયસર નિવૃત્તિનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેશે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ પદાર્પણ કરનાર ધવને કહ્યું છે કે ધોની દરેક ખેલાડીની મજબૂત […]
ભારતીય ટીમના ઓપનર શિખર ધવને કહ્યું છે કે ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સમય આવશે ત્યારે નિવૃત્ત થઈ જશે. ધવને કહ્યું કે, ધોનીએ ભારતીય ક્રિકેટ માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે અને તે જ રીતે તે સમયસર નિવૃત્તિનો મહત્વપૂર્ણ નિર્ણય પણ લેશે. ધોનીની કેપ્ટનશીપ હેઠળ પદાર્પણ કરનાર ધવને કહ્યું છે કે ધોની દરેક ખેલાડીની મજબૂત અને નબળી બાજુ જાણે છે, તેથી તે તેના ભવિષ્ય વિશે પણ યોગ્ય નિર્ણય લેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ધોની ઘણા સમયથી રમી રહ્યા છે, મને લાગે છે કે તેઓ જાણે છે કે ક્યારે નિવૃત્તિ લેવી. તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે અને મને વિશ્વાસ છે કે જ્યારે સમય આવશે ત્યારે તેઓ નિવૃત્તિ અંગે પણ નિર્ણય લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ધવને કહ્યું કે, મોટા ખેલાડીની વિશેષતા છે કે તે દરેક ખેલાડીની ક્ષમતાને જાણે છે અને તે પણ જાણે છે કે ખેલાડીને કેટલા સમય સુધી તક આપવી જોઈએ. ભારતે તેની કેપ્ટનશીપમાં જે સફળતા મેળવી છે તે આ હકીકત જણાવે છે. ધવન કહે છે કે હાલની ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતની આખી ટીમ ધોનીને ખૂબ માન આપે છે.
આ પણ વાંચો: હવામાન વિભાગ: ચાર દિવસ પડશે વરસાદ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, જુઓ VIDEO
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]