શિવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે અને તેની પાછળનું ધાર્મિક મહત્વ શું છે તેના વિશે આજે અમે તમને જાણકારી આપીશું. મહાશિવરાત્રીનું ધર્મની દ્રષ્ટ્રિએ વિશેષ મહત્વ છે. આ દિવસે ભક્તો વિશેષ પૂજા-અચર્ના કરીને ભગવાન શિવને યાદ કરે છે.
આ પણ વાંચો : VIDEO: સુરતના સચીન GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
શું છે પૌરાણિક મહત્વ?
મહાશિવરાત્રીના દિવસે ખાસ કરીને અપરિણીત મહિલાઓ વ્રત રાખે છે અને લગન્ની કામના કરે છે તેવી માન્યતા છે. જ્યારે વિવાહીત મહિલાઓ પોતાના સુખી જીવન માટે આ દિવસે વ્રત રાખે છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ અને પાર્વતીનો વિવાહ થયો હતો. આ વર્ષે મહાશિવરાત્રી 21 ફેબ્રુઆરી શુક્રવારના દિવસે મનાવવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ઈશાન સંહિતા મુજબ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ જ્યોર્તિલિંગ સ્વરુપે પ્રક્ટ થયા હતા. આથી આ પર્વને મહાશિવરાત્રી સ્વરૂપે મનાવવામાં આવે છે. કહેવામાં આવે છે કે મહાશિવરાત્રીનું વ્રત કરવાથી જીવનમાં પાપનું નાશ થાય છે. આથી તમામ વ્રતમાં મહાશિવરાત્રીના વ્રતને વ્રતોનો રાજા કહેવામાં આવે છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 1:08 pm, Tue, 18 February 20