કોરોના વાઈરસને હરાવવા મોદી સરકારે ફરીથી લોકડાઉનનું શસ્ત્ર ઉગામ્યું છે. સમગ્ર દેશને કોરોના વાઈરસના કેસને લઈને અલગ અલગ ઝોનમાં વહેંચી દેવાયો છે. જાણીએ કે ક્યાં ઝોનમાં કઈ કઈ છૂટ આપવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર, 3 દિવસ સુધી આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ
હવાઈ માર્ગ, મેટ્રો, હાઈવે દ્વારા આંતરરાજ્ય પ્રવાસ, સ્કુલ-કોચિંગ સંસ્થાનો અને રેલવેનો દેશના તમામ ઝોનમાં બંધ રાખવામાં આવશે. ઓરેન્જ ઝોનમાં ટેક્સી 1 ડ્રાઈવર અને 2 પેસેન્જરની સાથે સફર કરી શકશે. ઓરેન્જ ઝોનમાં આંતર જિલ્લામાં જવું હોય તો તેને આંશિક રાહત આપવામાં આવશે. રેડ ઝોનમાં કોઈ માસ મુવમેન્ટની પરવાનગી આપવામાં આવી નથી. ગ્રામીણ વિસ્તારોમાં આવાસ નિર્માણ, મનરેગા કાર્ય, ઈંટ ભઠ્ઠાઓને મંજૂરી આપવામાં આવી છે.
ધાર્મિક સ્થાનોને સંપૂર્ણ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં દારુની દુકાનો ખુલ્લી રાખી શકાશે. જો કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે. ગ્રીન ઝોનમાં બસ સેવા શરૂ કરી શકાશે પણ 50 ટકા જ મુસાફરોને બેસાડવાના રહેશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 3:09 pm, Fri, 1 May 20