ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 517 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ જ સમયગાળામાં 390 દર્દીને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના વાઈરસના લીધે 33 વ્યક્તિના મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસની લડાઈ સામે 2,83, 623 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
જાણો ક્યાં ક્યાં જિલ્લામાં નોંધાયા નવા પોઝિટિવ કેસ?
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 517 કોરોના પોઝિટિવ કેસ નોંંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોવા જઈએ તો અમદાવાદમાં 344 કેસ, સુરતમાં 59 કેસ, વડોદરામાં 40 કેસ, ગાંધીનગરમાં 09 કેસ, ભાવનગરમાં 07 કેસ, મહેસાણામાં 06 કેસ, અરવલ્લીમાં 05 કેસ, પંચમહાલમાં 05 કેસ, નર્મદામાં 05 કેસ, કચ્છ અને ભરુચમાં 04-04 કેસ, રાજકોટમાં 03 કેસ, પાટણમાં 03 કેસ, જામનગરમાં 03 કેસ, અમરેલીમાં 03 કેસ, બનાસકાંઠા અને ખેડામાં 02-02 કેસ નોંધાયા છે. જ્યાં કોરોના વાઈરસનો 1 પોઝિટિવ કેસ છેલ્લાં 24 કલાકમાં નોંધાયો છે એવા જિલ્લામાં મહીસાગર, આણંદ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, છોટા ઉદેપુર અને જુનાગઢનો સમાવેશ થાય છે. અન્ય રાજ્યના પણ 06 કેસ નોંધાયા છે.
રાજ્યમાં 5739 દર્દીઓ લઈ રહ્યાં છે કોરોનાની સારવાર
રાજ્યમાં કોરોના વાઈરસના એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં 5739 દર્દીઓ કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે. આ કેસમાં 61 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5678 દર્દીની તબિયત સ્થિર છે. રાજ્યમાં કોરોના વાઈરસના સંક્રમણથી સ્વસ્થ થયા બાદ 15891 દર્દીને રજા આપવામાં આવી છે. કોરોના વાઈરસના લીધે 1449 લોકોના મોત અત્યારસુધીમાં થયા છે. છેલ્લાં 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના લીધે 26 લોકોના મોત થયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:44 pm, Sat, 13 June 20