રાહુલ ગાંધીના 72 હજાર રૂપિયાના ચૂંટણી વાયદાથી 1 પતિએ પત્નીને છુટાછેડા પછી ભરણપોષણના રૂપિયા આપવાની ના પાડી દીધી, વાંચો સૌથી રોચક ચૂંટણીનો કિસ્સો
ઈન્દોરમાં કૌટુંબિક અદાલતમાં 1 એવો કેસ સામે આવ્યો છે કે લોકોને હસવા માટે મજબુર કરી દીધા હતા. જેમાં પતિ અને પત્ની વચ્ચે કૌટુંબિક ઝગડો ચાલી રહ્યો હતો. 12 માર્ચના રોજ ઈન્દોરના સુખલીયાના રહેવાસી આનંદ શર્માને તેની પત્ની દીપમાલાને દર મહિને 4500 રૂપિયા ભરણપોષણ માટે આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો, પરંતુ તેની પત્નીને ભરણપોષણની રકમ આપતો […]
ઈન્દોરમાં કૌટુંબિક અદાલતમાં 1 એવો કેસ સામે આવ્યો છે કે લોકોને હસવા માટે મજબુર કરી દીધા હતા. જેમાં પતિ અને પત્ની વચ્ચે કૌટુંબિક ઝગડો ચાલી રહ્યો હતો.
12 માર્ચના રોજ ઈન્દોરના સુખલીયાના રહેવાસી આનંદ શર્માને તેની પત્ની દીપમાલાને દર મહિને 4500 રૂપિયા ભરણપોષણ માટે આપવાનો આદેશ કોર્ટે આપ્યો હતો, પરંતુ તેની પત્નીને ભરણપોષણની રકમ આપતો ન હતો.
આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે
આ બાબતમાં કોર્ટમાં સુનાવણી કરવામાં આવી, ત્યારે આનંદ શર્માએ કહ્યું કે તે બેરોજગાર છે અને તે ભરણપોષણના રૂપિયા આપી શકે તેમ નથી. તેમને કહ્યું કે ‘રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં જો તેમની સરકાર આવશે તો તેઓ દરેક બેરોજગારોના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયા આપશે.’
આંનદ શર્માએ જણાવ્યું કે હું મારી પુરી સભાનતાથી લખીને આપું છું કે, રાહુલ ગાંધીના વડાપ્રધાન બન્યા પછી જે પણ રકમ મને મળશે તેમાંથી દર મહિને 4500 રૂપિયા હું મારી પત્નીને આપીશ. જો કાર્ટ ઈચ્છે તો તે બેરોજગારી ભથ્થામાંથી પત્નીના ભરણપોષણના પૈસા સીધા તેના ખાતામાં જમા કરાવવાનો આદેશ પણ આપી શકે છે.
કોર્ટે શર્માની જુબાનીને તેમના રેકોર્ડમાં લીધી છે. તેના પર 29 એપ્રિલના રોજ સુનાવણી થશે. અદાલતે 12 માર્ચે કરવામાં આવેલી સુનાવણીમાં આદેશ આપ્યો હતો કે, શર્મા તેમની પત્નીને ભરણપોષણ માટે દર મહિને 3 હજાર રૂપિયા અને 12 વર્ષની પુત્રી આર્યા માટે 1500 રૂપિયા આપશે.